Friday, March 29, 2024
HomeWC 2019 : ટીમ ઇન્ડિયાને વધુ એક ઝટકો, આ ખેલાડી ટીમમાંથી બહાર
Array

WC 2019 : ટીમ ઇન્ડિયાને વધુ એક ઝટકો, આ ખેલાડી ટીમમાંથી બહાર

- Advertisement -

ICC વર્લ્ડ કપ 2019માં ટીમ ઇન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. ઇજાને કારણે વિજય શંકર ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.

વિજય શંકરની જગ્યાએ ટીમમાં મયંક અગ્રવાલ અથવા તો શ્રેયસ અય્યરને જગ્યા મળી શકે છે. આ પહેલા ઇજાને કારણે ટીમમાંથી બહાર શિખર ધવન થયો હતો, તો ભુવનેશ્વર કુમાર પણ ઇજાને કારણે નથી રમી શકતો.

આ વર્લ્ડ કપમાં વિજય શંકરનું ફોર્મ કંઇ એટલુ ખાસ રહ્યુ ન હતુ. નેટ્સમાં પ્રેક્ટિસ કરતા જસપ્રીત બુમરાહથી બૉલ વાગ્યો હતો. ઇજા શરૂઆતમાં એટલી ગંભીર ન હતી, પરંતુ ઇજા હજુ સુધી ઠીક થઇ નથી. વિજય 3 મેચ રમ્યો, જેમાં તેણે 29ની અવરેજથી 58 રન કર્યા, આ સિવાય તેને 2 વિકેટ ઝડપી.

વિજય શંકરની ઇજા ટીમ મેનેજમેન્ટ  માટે મુશ્કેલી વધારી શકે છે. ઇંગ્લેન્ડ વિરુદ્ઘની મેચમાં કેપ્ટન કોહલીએ કહ્યુ હતુ કે, ”વિજય શંકર ઇજાગ્રસ્ત હોવાથી રિષભ પંતને પ્લેઇંગ 11માં સ્થાન લેશે.”

શિખર ધવન અંગૂઠાના ફ્રેક્ચરના કારણે પહેલાથી વર્લ્ડકપમાંથી બહાર છે અને ભુવનેશ્વર કુમાર હેમસ્ટ્રીંગ ખેંચવાને કારણે 2 મેચથી બહાર છે.

કેટલાક ક્રિકેટ નિષ્ણાતો અનુસાર, સેમિફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયાને 2 મેચ રમવાની છે. એવામાં અનુભવી દિનેશ કાર્તિકને તક આપવી સમજદારી ભર્યો નિર્ણય હોઇ શકે. ઘણા લોકો ટીમમાં રવિન્દ્ર જાડેજાને શામેલ કરવાની વાત કરી રહ્યા છે. જાડેજા બૉલિંગ અને બેટિંગ બંનેમાં સારુ ફોર્મ કરી શકે છે આ સાથે તે શાનદાર ફિલ્ડિંગ પણ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular