Thursday, February 6, 2025
HomeદેશNATIONAL: કોણ હતા શિવસેના નેતા અભિષેક ઘોષાલકર ?ફેસબુક લાઈવ દરમિયાન થઈ હત્યા...

NATIONAL: કોણ હતા શિવસેના નેતા અભિષેક ઘોષાલકર ?ફેસબુક લાઈવ દરમિયાન થઈ હત્યા …..

- Advertisement -

શિવસેનાના અભિષેક ઘોસાલકરને ‘ફેસબુક લાઈવ’ દરમિયાન સામાજિક કાર્યકર્તા મૌરિસ નોરોન્હાએ ગોળી મારી દીધી હતી. પછી તેણે પોતે પણ આત્મહત્યા કરી લીધી. આ ઘટના બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. આખરે કોણ હતો અભિષેક ઘોસાલકર?

શિવસેનાના નેતા અભિષેક ઘોસાલકરની ગુરુવારે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાદમાં હુમલાખોરે પોતાને ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. હાલ આ કેસની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ત્યારે અભિષેક ઘોસાલકર કોણ હતા અને તેમની હત્યા પાછળ શું ઉદ્દેશ્ય હતો ? આ જાણી લઈએ ..

40 વર્ષીય અભિષેક પૂર્વ ધારાસભ્ય વિનોદ ઘોસાલકરના પુત્ર હતા. વિનોદને ઉદ્ધવ ઠાકરેના ખૂબ નજીકના માનવામાં આવે છે. જ્યારે અભિષેક ઘોસાલકરને આદિત્ય ઠાકરેના નજીકના માનવામાં આવતા હતા. અભિષેક ઘોસાલકરે શરૂઆતમાં સામાજિક કાર્ય શરૂ કર્યું. આ પછી તેઓ મહાનગરપાલિકાની ચૂંટણી લડ્યા હતા. અભિષેક ઘોસાલકર મુંબઈ મહાનગરપાલિકામાં બે વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. દહિસરમાં તે એક યુવાન અને મહેનતુ નેતા તરીકે જોવામાં આવે છે.

તેમની છબી એક અભ્યાસુ અને જુસ્સાદાર કાઉન્સિલર તરીકેની છે. અભિષેક દહિસર કંદરપાડા વોર્ડ નંબર 7નો કોર્પોરેટર હતા. હાલમાં આ વોર્ડ શીતલ મ્હાત્રેના કબજામાં છે. હાલમાં અભિષેકની પત્ની તેજસ્વી દરેકર વોર્ડ નંબર 1ના કોર્પોરેટર છે. બંનેએ વર્ષ 2013માં લગ્ન કર્યા હતા.

મળતી માહિતી મુજબ અભિષેક અને સામાજિક કાર્યકર મોરિસ નોરોન્હા વચ્ચે પરસ્પર દુશ્મનાવટ હતી. ફેસબુક લાઈવ એ સ્પષ્ટ કરવા માટે હતું કે તેઓ બોરીવલીમાં IC કોલોની વિસ્તારની સુધારણા માટે તેમના પરસ્પર વિવાદને સમાપ્ત કર્યા પછી એક સાથે આવ્યા છે. પરંતુ અહીં કંઈક બીજું જ થયું, જેની કદાચ કોઈએ કલ્પના પણ કરી ન હતી. ફેસબુક લાઈવ દરમિયાન મૌરિસે સૌથી પહેલા અભિષેકના પેટ અને ખભા પર ફાયરિંગ કર્યું હતું. જ્યારે તે લોહીથી લથબથ નીચે પડી ગયો ત્યારે મૌરિસે પોતાના પર ગોળીબાર કરીને આત્મહત્યા કરી લીધી.

હાલમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે ફાયરિંગની ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ કેસની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. બીજી બાજુ, આ ઘટના પછી, શિવસેના સાંસદ સંજય રાઉતે એક પોસ્ટમાં આરોપ લગાવ્યો કે તેમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાઉતે એવી પણ માંગ કરી હતી કે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપવું જોઈએ.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું, મહારાષ્ટ્રમાં શું થઈ રહ્યું છે? શિવસેના ના નેતા અભિષેક ઘોસાલકરને મુંબઈના દહિસરમાં ફેસબુક લાઈવ દરમિયાન ત્રણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, મૌરીસ બોરીવલી વેસ્ટની આઈસી કોલોનીમાં રહેતી હતી. તે સામાજિક કાર્યકર મૌરીસ નોરોન્હા ઉર્ફે મૌરીસ ભાઈ તરીકે જાણીતો હતો. પરંતુ તેની સામે બળાત્કાર, ખંડણી અને છેતરપિંડીના કેસ નોંધાયા હતા. તેના પર એક મહિલા સાથે 88 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો અને તેની સાથે બળાત્કાર કરવાનો પણ આરોપ છે. કહેવાય છે કે મોરિસે આ મહિલાને ધમકી પણ આપી હતી. ધમકીનો કથિત વીડિયો પણ વાયરલ થયો હતો. આટલું જ નહીં, કોર્ટમાં જતી વખતે તેણે પત્રકારોને ધમકી પણ આપી હતી. મોરીસભાઈ વોર્ડ નંબર 1માંથી મહાનગરપાલિકાની ચૂંટણી લડ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular