ઈન્ડિયન આઇડલ સીઝન 11 પૂરી થઈ ગઈ છે પરંતુ નેહા કક્કર અને આદિત્ય નારાયણ અંગેનું સસ્પેન્સ હજુ પણ ખતમ થવાનું નામ નથી લેતું. આ વિશે કોઈને કોઈ ખુલાસાઓ થતા જ રહે છે ત્યારે હવે શોના વિજેતા સની હિન્દુસ્તાનીએ એક મોટો ખુલાસો કર્યો છે, જેમાં તેણે નેહા કક્કર અને આદિત્ય નારાયણ વચ્ચેના સંબંધો વિશે મોટી વાત કરી છે.
સિંગર નેહા કક્કર અને આદિત્ય નારાયણના લગ્નના સમાચારો પર સસ્પેન્સ હજી પૂર્ણ રીતે ખતમ થઈ રહ્યું નથી. તાજેતરમાં જ બંને વચ્ચેના સંબંધો પર જે ખુલાસાઓ થયા છે એ શોના વિજેતા સની હિન્દુસ્તાનીએ જ કર્યા છે.
સની હિન્દુસ્તાનીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ નેહા અને આદિત્યના લગ્નને લઈને ખૂબ ઉત્સાહિત હતા. તે કહે છે, ‘અમે બંનેના લગ્નને લઈને ખૂબ જ ખુશ હતા. અમે તો લગ્ન માટે કપડા પણ ખરીદી લીધા હતા. અમે તો જાન લઈને પણ આવી ગયા, પણ એ ન જાણ્યું કે છોકરી છોકરાને હા પાડશે કે ના.’
સની હિન્દુસ્તાની આગળ કહે છે કે, હવે જ્યારે તેઓના લગ્ન નથી થયા તો તે ખૂબ જ દુઃખી છે. વધુમાં, તેણે કહ્યું કે નેહા દીએ આદિત્ય ભૈયા સાથે લગ્નના પ્રસ્તાવને સ્વીકાર્યો નહિ અને તેથી તે લગ્ન થઇ શક્યા નહિ.
જણાવી દઈએ કે, ઇન્ડિયન આઇડોલ દરમિયાન નેહા અને આદિત્ય વચ્ચે જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે બંને એકબીજાને પ્રેમ કરે છે. પરંતુ પાછળથી એવા અહેવાલો આવ્યા હતા કે આ બધું ટીઆરપી માટે થઈ રહ્યું છે.
આદિત્યના પિતા ઉદિત નારાયણે પણ મીડિયા સામે એવું નિવેદન આપ્યું હતું કે તેઓ નેહાને પસંદ કરે છે અને જો બંનેનાં લગ્ન થાય તો ખુશીથી નેહાને પુત્રવધૂ તરીકે સ્વીકારી લેશે.
લગ્નના સમાચારોથી જ્યાં ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી હતી, તો બીજી તરફ આદિત્યએ લગ્નને ટીઆરપી ગણાવીને ચાહકોનું દિલ તોડ્યું હતું. આદિત્યએ કહ્યું હતું કે, ‘નેહા માટેનો તેમનો લવ-રોમાંસ ફક્ત ટીઆરપીનો જ એક ભાગ છે. તેઓએ તે જ કર્યું જે શોના નિર્માતાઓએ તેમને કહ્યું.’
જણાવી દઈએ કે કેટલાક દિવસો પહેલા નેહા કક્કરે પણ એક મોટો ખુલાસો કરતા કહ્યું કે આદિત્ય નારાયણ ખૂબ જ જલ્દી તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. એવામાં હવે સની હિન્દુસ્તાનીનું આ નિવેદન હેરાન કરે છે.