ભારતે પાંચમી T20 મેચમાં ઈંગ્લેન્ડને 36 રને પહાજય આપ્યો હતો. આ સાથે ભારતે T20 સીરિઝમાં ઈંગ્લેન્ડને 3-2થી પોતાના નામે કરી લીધી હતી. જીત પછી કેપ્ટન કોહલીએ કહ્યું હતું કે T20 વર્લ્ડકપ પહેલા તે અમુક મેચમાં ઓપનિંગ કરશે.
કોહલીએ વધુમાં જણાવ્યું હતું કે IPLમાં પણ તે ઓપનિંગ કરશે. અમારી પાસે ઘણો મજબુત મીડલ ઓર્ડર છે અને હવે સમય આવી ગયો છે કે તમારા બે સર્વશ્રેષ્ઠ બેટ્સમેન T20માં સૌથી વધારે બોલનો સામનો કરે.
શા માટે કોહલી ઓપનિંગ કરાવ માંગે છે? જણાવ્યું કારણ
કોહલીએ કહ્યું કે હું રોહિત સાથે T20માં ઓપનિંગ કરવા ઈચ્છીશ. અમારી પાર્ટનરશીપ સારી ચાલે અને અમે સેટ થઈ જઈએ તો કોઈપણ ટીમ સામે જોખમ ઊભુ કરી શકીએ તેમ છીએ. અમારા બન્નેમાંથી કોઈ એક પણ ક્રીઝ પર હોય તો સાથે રહેલા બેટ્સમેનને વિશ્વાસ મળે છે અને તે પણ ખુલીને રમે છે. આ ટીમ માટે પણ સારું છે અને હું તેને ચાલુ રાખીશ. મેચમાં 52 બોલમાં બે સિક્સર અને સાત ફોરની મદદથી 80 રન બનાવનાર કોહલીએ કહ્યું હતું કે મને આશા છે કે વર્લ્ડકપમાં પણ આ ફોર્મને જાળવી રાખીશ.
ભારતે પાંચમી T20માં ઈંગ્લેન્ડને 36 રને હરાવ્યું
ભારતે પાંચમી T20માં ઈંગ્લેન્ડને 36 રને હરાવ્યું હતુ. ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવા કહ્યું હતું. ભારતે બે વિકેટના નુકસાને 224 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને રોહિત શર્માએ ધમાકેદાર ઓપનિંગ કરી હતી. બન્ને વચ્ચે 56 બોલમાં 94 રનની પાર્ટનરશીપ થઈ હતી. કોહલી અને સૂર્યકુમાર વચ્ચે 26 બોલમાં 49 રનની ભાગીદારી થઈ હતી. જ્યારે કોહલી અને હાર્દિક પંડ્યા વચ્ચે 40 બોલમાં 81 રનની ભાગીદારી થઈ હતી.
મેચમાં રોહિત શર્માએ 34 બોલમાં 64 રન, સૂર્યકુમારે 17 બોલમાં 32 રન અને હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 39 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડ 8 વિકેટના નુકસાને 188 રન બનાવી શક્યું હતું.