Friday, March 29, 2024
Homeઆ ઋતુમાં તમારા રસોડામાં સૂંઠ કેમ હોવી જોઈએ : અહી જાણોએ એ...
Array

આ ઋતુમાં તમારા રસોડામાં સૂંઠ કેમ હોવી જોઈએ : અહી જાણોએ એ માટેના 6 કારણો.

- Advertisement -

શિયાળામાં શરદી અને ચેપથી બચવા માટે તમે તમારા આહારમાં ઘણા ખોરાકનો સમાવેશ કરી શકો છો. સૂંઠ પણ તેમાંથી એક છે. પરંતુ અમે તમને સુકા આદુના સેવનના ફાયદા જણાવતા પહેલા જણાવી દઈએ કે સૂંઠ શુ છે.

સુકા આદુના પાવડરને સૂંઠ કહેવામાં આવે છે. સૂંઠ પણ આદુની જેમ ગરમ છે. આથી સૂંઠ ખૂબ ઓછી માત્રામાં લેવી ફાયદાકારક છે. સૂંઠ વધુ પડતું સેવન કરવાથી હાર્ટબર્ન, પાચક રોગો અને ઝાડા થવાનું જોખમ વધી જાય છે.

સૂંઠના ફાયદાઓ વિશે વાત કરીએ તો આદુની જેમ જ સૂંઠ પાવડરમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, સોડિયમ, વિટામિન એ, વિટામિન સી, જસત, ફોલિક એસિડ, ફેટી એસિડ્સ, પોટેશિયમ જેવા પોષક તત્વો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. જે આપણી ઈમ્યુન સિસ્ટમને મજબુત બનાવવાની સાથે સાથે, આપણે આપણા શરીરને ઉધરસ અને શરદી અને આધાશીશી જેવા અન્ય ગંભીર રોગોથી પણ બચાવે છે.

હવે જાણો શા માટે શિયાળામાં સૂકી આદુ ખાવાનું મહત્વ

શિયાળામાં થોડી માત્રામાં ઠંડી ભારે માથાનો દુખાવો પેદા કરી શકે છે. આ માથાનો દુખાવો ઉપરાંત સુકા આદુનું સેવન કરવાથી આધાશીશીને કારણે થતી પીડામાં રાહત મળે છે. ખરેખર, સુકા આદુમાં આયર્ન જેવા પોષક તત્વો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. જેના કારણે શરીરનું લોહીનું પરિભ્રમણ સારું રહે છે. અને મગજમાં યોગ્ય માત્રામાં ઓક્સિજન પહોંચે છે

સોંઠ પેઇનકિલરનું પણ કામ કરે છે

સૂંઠ પરના ઘણા સંશોધન મુજબ, સૂંઠમાં દુખાવો ઓછું કરવાના ઔષધીય તત્વ જોવા મળે છે. તેથી સુકા આદુને પ્રાકૃતિક પેઇનકિલર પણ કહેવામાં આવે છે. સુકી આદુની ચા પીવાથી પીરિયડ્સમાં થતા દુખાવામાં રાહત મળે છે. સૂંઠનો પાવડર લગભગ તમામ પ્રકારની ક્રેમ્પથી રાહત અપાવવામાં કારગર છે.

પાચનતંત્ર માટે આદુ ફાયદાકારક છે – સુકા આદુ નિયમિતપણે લેવાથી પાચનતંત્ર સરળતાથી કામ કરે છે. જો તમે પેટને લગતી બીમારીઓથી એટલે કે ગેસ, અજીર્ણથી પરેશાન છો, તો પછી આદુ અથવા સૂકી આદુ ખાવાથી તમારા માટે ફાયદાકારક રહેશે. તે મેટાબોલિક રેટમાં પણ વધારો કરે છે, તે વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે સુકા આદુને ખોરાક અથવા ગરમ દૂધ સાથે પણ ખાઈ શકો છો.

કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે – વેબમેડી ઓનલાઇન જર્નલ અનુસાર ડ્રાય આદુ પાવડર અથવા સૂંઠનું નિયમિત સેવન કરવાથી શરીરના કોલેસ્ટ્રોલનું લેવલ અને બ્લડ સુગર સ્તર નિયંત્રણમાં રહે છે. તેનાથી હાર્ટને લગતી બીમારીઓનું જોખમ પણ ઘટે છે.

ઉલટી અને મોર્નિંગ સિકનેસથી રાહત – ન્યુટ્રિશન જર્નલમાં પ્રકાશિત એક સંશોધન મુજબ ગર્ભાવસ્થા દરમિયાન સોંઠનુ
સેવન ખૂબ ફાયદાકારક છે. આ જ કારણ છે કે સગર્ભા સ્ત્રીઓને સૂંઠના લાડુ ખાવાની સલાહ આપવામાં આવે છે. પેટના રોગો ઉપરાંત, તે મોર્નિંગ સિકનેસ અને ગભરાટથી રાહત આપી શકે છે.

ઈમ્યુનિટી માટે પણ સૂંઠનુ સેવન – સૂંઠનુ

મર્યાદિત માત્રામાં સેવન કરવાથી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા મજબૂત થાય છે. તમે તેને દૂધ, ગરમ પાણી અથવા મધ સાથે લઈ શકો છો. તેના વપરાશને કારણે શરીરમાં ગરમી પણ વધી છે. જેના કારણે શરીર મોસમી રોગો સામે લડવામાં સક્ષમ છે. કારણ કે સૂંઠમાં એંટી ઈફ્લેમેટરી અને એન્ટિબાયોટિક તત્વો જોવા મળે છે.

સૂંઠ પાવડરના રૂપમાં બજારમાં સહેલાઈથી મળી રહે છે. તમે તેને ઘરે પણ બનાવી શકો છો. તેથી હવે શિયાળા દરમિયાન સૂંઠના સેવનથી ખુદને બચાવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular