સાંસદ ખેલ મહોત્સવ-2025 અંતર્ગત રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન દ્વારા આયોજીત રમત-ગમત મહોત્સવનું આયોજન અમદાવાદ શહેરની હીરામણિ શાળા સંકુલનાં રમત-ગમતના વિશાળ મેદાનમાં થયું હતું. આ મહોત્સવના ઉદઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા તથા અતિથિ વિશેષ તરીકે પ્રતિભાબેન જૈન મેયર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, મીરાબેન પટેલ મેયર, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રેરકભાઈ શાહ શહેર ભાજપ પ્રમુખ, કર્ણાવતી મહાનગર, જીતેન્દ્રભાઈ પટેલ ધારાસભ્ય-નારણપુરા, દેવાંગભાઈ દાણી સ્ટેન્ડિગ કમિટિના ચેરમેન, અમદાવાદ શહેર, જનકભાઈ ખાંડવાલા વાઈસ ચેરમેન, સિલ્વર ઓક યુનિવર્સિટી, નીતાબેન અમીન ઉપપ્રમુખ, જનસહાયક ટ્રસ્ટ ડૉ.વરુણભાઈ અમીન મેનેજિંગ ટ્રસ્ટી, જનસહાયક ટ્રસ્ટ, આર.સી.પટેલ સેક્રેટરી,જનસહાયક ટ્રસ્ટ, પંકજભાઈ દેસાઈ જોઈન્ટ સેક્રેટરી, જનસહાયક ટ્રસ્ટ, વિજુલબેન અમીન ટ્રેઝરર, જનસહાયક ટ્રસ્ટ, ઘનશ્યામભાઈ અમીન ચેરમેન, ગુજરાત રાજ્ય સહકારી સંઘ, ભગવત અમીન સી.ઈ.ઓ, હીરામણિ સંકુલ , અને વિવિધ રમતોના કોચ, રેફરી તેમજ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ખેલ મહોત્સવમાં વિદ્યાર્થીઓએ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાંસદ ખેલ મહોત્સવ-2025માં તા.21-11-25 ના 56 ટીમના 686 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ત્યારે ખો-ખો, કબડ્ડી, વોલીબોલ, આવતીકાલ .22 તારીખના રોજ રસ્સાખેંચ, યોગાસન, લીંબુ ચમચી, સંગીત-ખુરશી અને 23 નવેમ્બરના રોજ બાસ્કેટબોલ અને સ્કેટીંગની રમતોનું આયોજન કરવામાં આવેલ છે.

ગતરોજ રમાયેલ સ્પર્ધાઓમાં વિવિધ સ્કૂલોના જેમ કે ખો-ખોની 17 ટીમના 218 ખેલાડીઓ, કબડ્ડીમાં 18 ટીમના 230 ખેલાડીઓ અને વોલીબોલમાં 21 ટીમના 238 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભાગ લેનાર તેમામ ખેલાડીઓને પાર્ટીસિપેટ સર્ટીફિકેટ એનાયતક કરવામાં આવશે.

આ મહોત્સવના ઉદઘાટન પ્રસંગે સાંસદ અને જનસહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું કે 2013-14માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગામડાઓનાં વિદ્યાર્થીઓ રમતો રમે તે માટે ખેલે ગુજરાત કાર્યનો આરંભ કર્યો હતો. નવી પેઢીમાં સ્પોર્ટસમેનશીપ અને ખેલદીલીની ભાવના જન્મે તે દ્રષ્ટીને ધ્યાનમાં રાખીને તમામ રાજ્ય સહકારના સભ્યોને સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવા અનુરોધ કર્યો હતો. જેમાં સાંધ્યજીવન કુટિરના વડીલોએ પણ સંગીત-ખુરશીમાં ભાગ લીધો છે.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓએ ખેલ મહોત્સવમાં ભાગ લઈ દેશનું ગૌરવ વધાર્યું છે.રમતોથી યુનિટિની ભાવના તથા શરીર કસાય છે અને શિસ્ત આવે છે. અત્યારના સમયમાં વિદ્યાર્થીઓમાં મોબાઈલનું પ્રમાણ વધી ગયુ જેને કારણે વિદ્યાર્થીઓ કુપોષિત બની રહ્યા છે. આવા મહોત્સવના આયોજનથી તેઓનો શારીરિક વિકાસ થાય છે.
નરહરિ અમીન : સાંસદ,રાજ્યસભા

