Friday, May 3, 2024
Homeગાંધીનગર દહેગામ : રખિયાલ રોડ ઉપર ઇનોવા ચાલકે રિક્ષાને ટક્કર મારતા એક મહિલાનું...

દહેગામ : રખિયાલ રોડ ઉપર ઇનોવા ચાલકે રિક્ષાને ટક્કર મારતા એક મહિલાનું મોત

- Advertisement -

રખિયાલ રોડ ઉપર ઇનોવા ચાલકે રિક્ષાને ટક્કર મારતા એક મહિલાનું મોત
અકસ્માતની ઘટનામાં મૃતક મહિલાનું માથું ધડથી થયું અલગ
રિક્ષામાં સવાર અન્ય 4 થી 5 વ્યક્તિઓ થયા ઈજાગ્રસ્ત


ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકામાં રખિયાલ પાસે આવેલા પેટ્રોલ પંપ આગળ એક ઇનોવા ગાડીના ચાલકે રીક્ષાને જોરદાર ટક્કર મારતા મહિલાનું માથું શરીરથી અલગ થઈ જવા પામ્યું હતું. ત્યારે દહેગામ જતા મુખ્ય માર્ગ ઉપર ઇનોવા ગાડી અને રિક્ષા વચ્ચે સર્જાયેલ આ અકસ્માતમાં કમકમાટી ભર્યા દ્રશ્યો સર્જાયા હતા. મળતી માહિતી મુજબ દહેગામ થી રખિયાલ જવાના મુખ્ય માર્ગ ઉપર વેલા નાયરા પેટ્રોલ પંપ આગળ દહેગામ તરફથી પૂર ઝડપે આવી રહેલી એક ઇનોવા ગાડીના ચાલકે એક રિક્ષાને જોરદાર ટક્કર મારતા રીક્ષા પલટી મારી ગઈ હતી. આ દરમિયાન રિક્ષામાં 5 થી 6 વ્યક્તિ હતા. જેમાં અમુકને નાની મોટી ગંભીર ઇજાઓ થવા પામી હતી અને રીક્ષામાં બેઠેલા જગદીશસિંહના ભાભી નામે ભાવનાબેનનું માથું આ ઘટનામાં શરીરથી અલગ થઈ જવા પામ્યું હતું.

ત્યારે આવી કમ કમાટી ભરી ઘટના બનતા સ્થળ ઉપર જોનારા લોકો ભારે અચંબામાં મુકાઈ ગયા હતા. આ ઘટનાને લઇ સ્થળે લોકોના મોટી સંખ્યામાં ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. તો બીજી બાજુ આ ઘટનાને લઇ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ત્યારે રિક્ષા અને ઇનોવા ગાડીમાં થયેલા આ અકસ્માતમાં થયેલ તમામ ઇજાગ્રસ્તોને 108 મારફતે રખિયાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ આ ઘટનાની જાણ રખિયાલ પોલીસને થતા ટીમે ઘટના સ્થળે દોડી આવી મૃતક મહિલાને પી.એમ માટે ખસેડી ટ્રાફિક સમસ્યાને પણ દૂર કરાવ્યું હતું. જે બાદ ઇનોવા ચાલકની બેદરકારીથી અકસ્માત મામલે રખિયાલ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.

અગરસિંહ ચૌહાણ સાથે સી.એન 24 ન્યુઝ હરસોલી દહેગામ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular