RAJPIPALA : નર્મદા ડેમના 15 ગેટ 1.85 મીટર ખોલવામાં આવ્યા ,ભરૂચ નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા.

0
72
meetarticle

મધ્ય પ્રદેશના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદાડેમની સપાટીમાં ફરી વધારો થયો છે.ઉપરવાસમાંથી 1,67,113 ક્યુસેક પાણીની આવકથઈ રહી છે.
હાલ નર્મદા ડેમ ની સપાટી 136.74 મીટર પર પહોંચી છે.24 કલાક માં નર્મદા ડેમની સપાટીમાં 24 સેમી નો વધારો નોંધાયો છે.

આજે નર્મદા ડેમના 15 ગેટ 1.85 મીટર ખોલવામાં આવ્યા છે. અને નર્મદા ડેમ ના 15 ગેટ માંથી નર્મદા નદી માં 2,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.નર્મદાડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.છે.હાલ નર્મદા ડેમ ની સપાટી 136.74 મીટર પર પહોંચી છે

નર્મદા ડેમ 94 ટકા ભરાયોછે. તેથી વોર્નિંગ સ્ટેજ પર મુકાયો છે.જેને કારણે નર્મદા નદી કાંઠા વિસ્તાર ભરૂચ નર્મદા અને વડોદરા ના 27 ગામો ને એલર્ટ કરવામાં આવ્યા.છે.

REPOTER : દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here