VADODARA : ડભોઇ શહેર અને તાલુકામાં દશામાની આરાધના કરી ભક્તિ ભાવ રીતે ઉજવણી કરવામાં આવી

0
59
meetarticle

ડભોઇ શહેર અને તાલુકામાં દસ દિવસ દશામાની આરાધના કરી ભક્તિ ભાવમાં દસ દિવસ ઉજવણી કરવામાં આવી હતી દસ દિવસ બાદ તેઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે શરૂ થયેલા દશામાં વ્રતની થઈ પુર્ણાહુતિ દશામાંના દસ દિવસ વ્રતની પૂર્ણાહુતિ થતા ડભોઇ યાત્રાધામ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીમાં નાની મોટી સેંકડો પ્રતિમાઓનું વિસર્જન કરાયું


જિલ્લાભરમાંથી નાની મોટી સેંકડો પ્રતિમાઓ સાથે ઢોલ ત્રાસાના સથવારે સવારીઓ નદી કિનારે પહોંચી શનિવારે જાગરણની રાત્રે થી રવિવાર સવાર સુધી મૂર્તિ વિસર્જન ની ચહલ પહલ જોવા મળી માતાજીના દસ દિવસના આતિથ્ય બાદ ભાવિકોએ નર્મદા નદી કિનારે પહોંચી આરતી પૂજન કરી બોટ દ્વારા નદી મધ્યે જઈ પ્રતિમાઓનું વિસર્જન કર્યું
નર્મદા નદીની જળ સપાટી વધુ હોય પોલીસ તંત્ર, ગ્રામ પંચાયત તેમજ નાવિક શ્રમજીવીઓએ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સામુહિક રીતે વ્યવસ્થાપન જાળવ્યું હતું

REPOTER :ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here