NATIONAL : સગીરે નાના ભાઈને મારીને દફનાવ્યો, પછી ખોદીને બહાર કાઢ્યો, પછી ફરી દફન કર્યો, હેરાનીનું કારણ

0
63
meetarticle

ઓડિશાના તિતલાગઢમાં ગુમ થયેલા એક બાળકનો કિસ્સો એવો ચોંકાવનારો ખુલાસો થયો જેને સાંભળીને સૌના હૃદય ધબકારા વધી ગયા. તપાસ આગળ વધી તો ખુલ્યું કે આ ભયાનક ઘટનાનો ગુનેગાર કોઈ અજાણ્યો નહીં, પણ એનું જ પોતાનું લોહી હતું.

આજના સમયમાં તો સગા સંબંધ પર પણ વિશ્વાસ કરવો એક મોટો સવાલ બની ગયો છે. એક સમય હતો, જ્યારે સગા ભાઈઓ જેવો પ્રેમ કોઈનો ન હોય, પરંતુ આજના સમયમાં સગો ભાઈ જ સગા ભાઈનો દુશ્મન બની જાય છે. આવી જ એક ઘટના સામે આવી છે ઓડિશાના બાલનગીર જિલ્લાના તિતલાગઢ વિસ્તારમાંથી, જ્યાં 12 વર્ષના નારાયણ નામના સગીર છોકરાની હત્યા તેના જ મોટા ભાઈએ કરી હોવાનો ખુલાસો થયો છે.

આ કેસ છેલ્લા કેટલાક દિવસોથી રહસ્યમય રહ્યો હતો. નાનો દીકરો અચાનક ઘરેથી ગુમ થયા બાદ, માતાએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, નાના દિકરાના ગુમ થયાના થોડા દિવસો બાદ માતાને પોતાના મોટા દીકરા ભૂપેશ પર શંકા થઈ અને તેણે આ અંગે પોલીસને જાણ કરી. પોલીસે ભૂપેશને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી, ત્યારે એક ચોંકાવનારી વાત મળી — ભૂપેશે ગુસ્સામાં પોતાના નાના ભાઈને 6 ઇંચ લાંબી રસોડાની છરીથી પેટમાં ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. કારણ તરીકે તેણે જણાવ્યું કે નાના ભાઈના જન્મ પછી માતા-પિતા તેને ઓછો પ્રેમ કરતા હતા અને તેને નાના ભાઈ પ્રત્યે ઈર્ષ્યા હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here