રાજકોટ-ભાવનગર હાઇવે ફરી એકવાર ગુનાખોરીના કારણે ચર્ચામાં આવ્યો છે, જ્યાં ત્રાંબાથી રાજકોટ આવી રહેલા એક વ્યક્તિને નિશાન બનાવીને 3 થી 4 અજાણ્યા શખ્સોએ હથિયાર બતાવીને રૂપિયા 37 લાખની લૂંટ ચલાવી છે. આ ઘટનાએ હાઈવેની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
આટલી મોટી રકમની લૂંટ દિવસના અજવાળામાં કે રાતના અંધારામાં થઇ તે અંગે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે, પરંતુ હથિયારધારી લૂંટારૂઓનો આટલો દાવ પોલીસ માટે એક પડકારરૂપ બની રહેશે.
હાઈવે પર મૂસાફરી કરતા લોકોની સુરક્ષા હવે જોખમમાં
પ્રાથમિક માહિતી અનુસાર, આ વ્યક્તિ કારમાં મૂસાફરી કરી રહ્યો હતો ત્યારે લૂંટારૂઓએ તેની ગાડી અટકાવીને આ ગુનો આચાર્યો હતો. આ ઘટના સૂચવે છે કે, હાઈવે પર મૂસાફરી કરતા લોકોની સુરક્ષા હવે જોખમમાં છે. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે
પરંતુ આ ગુનેગારોને ઝડપી પાડવું એ પોલીસ માટે એક મોટો પડકાર છે. આ લૂંટના બનાવથી સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે અને લોકોમાં હાઈવે પર મૂસાફરી કરતા ડર પેદા થયો છે.
હાઈવે પર સઘન ચેકિંગ અને સુરક્ષા વધારવાની જરૂર
આ ઘટનાએ પોલીસની પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થાની પોળ ખોલી નાખી છે. હાઈવે પર સઘન ચેકિંગ અને સુરક્ષા વધારવાની જરૂર છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. લૂંટારૂઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. આશા છે કે, પોલીસ ઝડપથી આ લૂંટારૂઓને પકડી પાડી કાયદાના શાસનનું રક્ષણ કરશે.


