અંકલેશ્વર : પર્યાવરણ બચાવવા ઉદ્યોગ મંડળ અને નોટિફાઇડ ઓથોરિટીની અનોખી પહેલ, કૃત્રિમ કુંડ બનાવાયા

0
49
meetarticle

ગણેશ મહોત્સવની ઉજવણી દરમિયાન પર્યાવરણનું રક્ષણ કરવા માટે અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરિટી અને ઉદ્યોગ મંડળ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. ESIC હોસ્પિટલ નજીક બે કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં શ્રદ્ધાળુઓ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરી શકશે.

આ કુંડ ખાસ કરીને 5 ફૂટ સુધીની ઊંચાઈ ધરાવતી ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે બનાવવામાં આવ્યા છે. આ સુવિધાનો મુખ્ય હેતુ નદીઓ અને અન્ય જળાશયોમાં થતા જળ પ્રદૂષણને અટકાવવાનો છે. અંકલેશ્વર GIDC વિસ્તારમાં દર વર્ષે ANAA અને ઉદ્યોગ મંડળ દ્વારા આવા કુંડનું નિર્માણ કરવામાં આવે છે, જે પર્યાવરણ જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. વિસર્જન બાદ આ કુંડમાં એકઠી થયેલી મૂર્તિઓનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવામાં આવશે. આનાથી નદીઓ અને તળાવોમાં મૂર્તિઓ, રંગો અને અન્ય પૂજા સામગ્રીથી થતું પ્રદૂષણ અટકાવવામાં મદદ મળશે. આ પહેલ સ્થાનિક વહીવટી તંત્ર અને ઉદ્યોગ મંડળના સહયોગથી શક્ય બની છે, જે પર્યાવરણની સુરક્ષા માટે તેમની કટિબદ્ધતા દર્શાવે છે. શ્રદ્ધાળુઓને આ કૃત્રિમ કુંડનો ઉપયોગ કરીને પર્યાવરણ-મિત્ર ગણેશ વિસર્જન કરવા અપીલ કરવામાં આવી છે.

રિપોર્ટર સૈફ અલી ભટ્ટી

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here