NATIONAL : અમેરિકા-રશિયા બાદ દુનિયાની ત્રીજી શક્તિશાળી વાયુસેના બની ઈન્ડિયન એરફોર્સ, ચીનને પછાડ્યું

0
52
meetarticle

ભારતે વાયુસેનાએ શક્તિના મોરચે ચીનને પાછળ કરી દીધું છે. વર્લ્ડ ડાયરેક્ટરી ઑફ મૉડર્ન મિલિટ્રી એરક્રાફ્ટ (WDMMA)ની લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, ભારતીય વાયુસેના (IAF)હવે અમેરિકા અને રશિયા બાદ દુનિયાની ત્રીજી સૌથી શક્તિશાળી વાયુસેના બની ગઈ છે.

ચીન પાસે ભારતથી વધુ લડાકૂ વિમાન

ચીન પાસે ભારતથી વધુ લડાકૂ વિમાન છે, પરંતુ IAF વધુ આધુનિક અને મિશનને પાર પાડવા માટે વધુ સારી રીતે તૈયાર કરે છે. ભારતની શક્તિ આધુનિક ટ્રેનિંગ, તેજ પ્રતિક્રિયા અને સટીક હુમલામાં છે. ઓપરેશન સિંદૂરમાં પણ ભારતીય વાયુસેનાએ પોતાની આ ક્ષમતા સાબિત કરી છે.WDMMA કેવી રીતે તૈયાર કરે છે રેન્કિંગ?

દર વર્ષે, WDMMA વિશ્વભરના વાયુસેનાની તાકાતનું મૂલ્યાંકન કરે છે. આ રેન્કિંગ ફક્ત વિમાનોની સંખ્યા પર આધારિત નથી; તે લડાઇ શક્તિ, સંરક્ષણ ક્ષમતાઓ, લોજિસ્ટિકલ સપોર્ટ, તાલીમ અને તકનીકી પ્રગતિને પણ ધ્યાનમાં લે છે.

વાયુસેના રેન્કિંગ અને TVR:

અમેરિકા- 242.92
રશિયા- 114.23
ભારત- 69.44
ચીન- 63.85
જાપાન- 58.1
નોંધનીય છે કે, TVRને ટ્રુ વેલ્યુ રેટિંગ કહેવામાં આવે છે. WDMMA વાયુસેનાઓને રેન્ક આપવા માટે આ સ્કેલનો ઉપયોગ કરે છે.

એર ડિફેન્સમાં ચીનથી આગળ ભારત

ચીન તેના વાયુસેનાને અપગ્રેડ કરવા અને અદ્યતન ટેક્નોલોજી વિકસાવવા માટે અબજો ડોલર ખર્ચ કરી રહ્યું છે. બીજી તરફ, ભારત ફક્ત મશીનો પર જ નહીં પરંતુ પાઇલટ તાલીમ અને લડાઇ તૈયારી પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. ભારતના વાયુસેનાની તાકાત તેની શ્રેષ્ઠ તાલીમ, ઝડપી પ્રતિભાવ ક્ષમતાઓ અને ચોકસાઇથી પ્રહાર કરવાની ક્ષમતાને કારણે છે.

ભારતની ત્રણ સેવાઓ – આર્મી, નૌકાદળ અને વાયુસેના વચ્ચેનું સંકલન

ભારતની ત્રણ સેવાઓ – આર્મી, નૌકાદળ અને વાયુસેના – વચ્ચે પણ સારૂ સંકલન છે. આ ભાગીદારી યુદ્ધના સમયમાં ઉપયોગી છે. રશિયા પાસે વધુ વિમાન છે, છતાં તે યુક્રેન પર હવાઈ પ્રભુત્વ સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયું છે. બીજી તરફ, ઈઝરાયલે તેના શ્રેષ્ઠ આયોજન અને ટેક્નોલોજીને કારણે 2025માં માત્ર ચાર દિવસમાં ઇરાની હવાઈ ક્ષેત્રમાં પ્રભુત્વ મેળવ્યું.ઓપરેશન સિંદૂરમાં ભારતની તૈયારી સ્પષ્ટ દેખાઈ હતી. ભારતની તૈયારીની ઝલક તાજેતરના ઓપરેશન સિંદૂરમાં જોવા મળી હતી, જ્યાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વાયુસેનાને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ઓપરેશન સિંદૂર દરમિયાન 12 પાકિસ્તાની વિમાનોનો નાશ કરવામાં આવ્યો હતો.

સેનાના ડાયરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઓપરેશન્સ (DGMO), લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન, નિયંત્રણ રેખા પર 100થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા 12 વિમાનોનો નાશ કરવામાં આવ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here