ARTICLE : આદિવાસી જનનાયક વીર બિરસા બિરસા મુંડાની 150મી જન્મજયંતિ…..

0
47
meetarticle

જળ, જંગલ અને જમીન માટે અંગ્રેજો સામે અવાજ ઉઠાવી દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર આદિવાસી જનનાયક વીર બિરસા મુંડાજીની ચાલુ સાલે 150 મી જન્મ જયંતિ ગૌરવ ભેર ઉજવાઈ રહી છે.

બિરસા મુંડાને લોકો ભગવાન બિરસા મુંડા અથવા ધરતી આંબા ના નામ થી ઓળખે છે. ભગવાન બિરસા મુંડા મુંડા આદિવાસી જાતિ સાથે સંકળાયેલા હતાં . 19 મી સદી માં બિરસ મુંડા એ બ્રિટિશ શાસન ના વિરુદ્ધ સ્વતંત્ર આંદોલન માં મહત્ત્વ નો ફાળો આપ્યો છે. અને આદિવાસી ની રક્ષા અને અન્યાય સામે અંગ્રેજ શાસન સામે લડ્યા હતા.

બિરસા મુંડા આદિવાસી સમાજના એવા નાયક હતા કે જેમનું આદિવાસીઓ આજે પણ ગર્વથી સ્મરણ કરે છે. આદિવાસીઓનાં હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તત્કાલીન બ્રિટિશશાસન સામે બાથ ભીડી હતી.

તેમના કાર્યો અને આંદોલનને કારણે બિહાર અને ઝારખંડમાં લોકો બિરસા મુંડાને ભગવાનની જેમ પૂજે છે. પરંપરાગત જમીન વ્યવસ્થાને જમીનદારી વ્યવસ્થામાં રૂપાંતરિત કરવાને કારણે બિરસા મુંડાએ બળવો કર્યો હતો. બિરસા મુંડાએ તેમની સુધારાવાદી પ્રક્રિયા હેઠળ સામાજિક જીવનમાં એક આદર્શ રજૂ કર્યો. તેમણે નૈતિક આચરણ, સ્વ-સુધારણા અને એકેશ્વરવાદની શુદ્ધતાનો ઉપદેશ આપ્યો. બ્રિટિશ સત્તાના અસ્તિત્વને નકારીને, તેમણે તેમના અનુયાયીઓને સરકારને ભાડું ન ચૂકવવાનો આદેશ આપ્યો હતો .

ભારતીય આઝાદીના ઈતિહાસમાં સ્વતંત્રતા અને આદિવાસી ગૌરવના પ્રતીક બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1875ના રોજ ઝારખંડના રાંચી જિલ્લાના ઈલિહતુ ગામમાં થયો હતો. બિરસા મુંડા માત્ર 25 વર્ષની ઉંમરે પોતાના અધિકારો અને સ્વાયત્તતા માટે અંગ્રેજો સામે લડતા લડતા શહીદ થયા હતા. રાષ્ટ્રીય આંદોલન પર તેમના પ્રભાવને જોતાં 2000માં તેમની જયંતિ પર ઝારખંડ રાજ્ય બનાવવામાં આવ્યું હતું.

તેમનો જન્મ નવેમ્બર ૧૫, ૧૮૭૫ના દિને ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાતૂ ગામમાં સુગના મૂંડા અને કરમી હાતૂને ત્યાં થયો હતો. સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પુરું કર્યા પછી તેઓ ચાઇબાસા ઇંગ્લીશ મિડલ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા. એમનું મન હમેશાં પોતાના સમાજની બ્રિટિશ શાસકો દ્વારા કરવામાં આવેલી બુરી દશા માટે વિચારતું રહેતું હતું. એમણે મુંડા લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે જાતે નેતૃત્વ પ્રદાન કર્યું. ૧૮૯૪ના વર્ષમાં નિષ્ફળ ચોમાસાના કારણે છોટાનાગપુરમાં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો હતો. બિરસાએ મન લગાવી પોતાના સમાજના લોકોની સેવા કરી.

ઓક્ટોબર ૧, ૧૮૯૪ના દિને નવયુવાન નેતાના રુપમાં બધા મુંડાઓને એકત્ર કરી એમણે અંગ્રેજો સામે લગાન માફ કરાવવા માટે આંદોલન કર્યું. ૧૮૯૫ના વર્ષમાં એમની ધરપકડ થઈ.હજારીબાગ નગરના કેન્દ્રીય કારાગારમાં બે સાલની કેદની સજા ભોગવવા રાખ્યા. પરંતુ બિરસા અને એમના શિષ્યોએ દુષ્કાળપીડિત જનતાની સહાય કરવાનું પૂરા મનથી નક્કી કરી લીધું હતું અને આ કાર્ય કરીને તેમણે પોતાના જીવનકાળ દરમિયાન જ એક મહાપુરુષનો દરજ્જો મેળવ્યો. બિરસાને તેમના વિસ્તારના લોકો “ધરતી બાબા” નામથી સંબોધન કરતા તેમ જ પૂજતા પણ હતા. એમના પ્રભાવની વૃધ્ધિ થતાં આખા વિસ્તારના મુંડા આદિવાસીઓમાં સંગઠિત થવાની ચેતના જાગી.

૧૮૯૭ના વર્ષથી ૧૯૦૦ના વર્ષ દરમિયાન મુંડા અને અંગ્રેજ સિપાઇઓ વચ્ચે લડાઇ થતી રહી, અને બિરસા તથા એમના શિષ્યોએ અંગ્રેજોના નાકમાં દમ કરી રાખ્યો હતો. ઓગસ્ટ ૧૮૯૭ના સમયમાં બિરસા અને એના ચારસો સાથીઓએ તીર કામઠાં વડે સજ્જ થઇ ખૂંટી થાણા પર હુમલો કર્યો. ૧૮૯૮ના વર્ષમાં તાંગા નદીના કિનારે મુંડાઓની લડાઇ અંગ્રેજ સેના સાથે થઇ, જેમાં પહેલાં તો અંગ્રેજ સેના હારી ગઇ પરંતુ ત્યારબાદ એના બદલે એમના વિસ્તારના ઘણા આદિવાસી નેતાઓની ધરપકડ થઇ. જાન્યુઆરી ૧૯૦૦ ડોમવાડીના ડુંગરોમાં એક વધુ સંઘર્ષ થયો, જેમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ અને બાળકો માર્યા ગયા. એ વખતે આ જગ્યા પર બિરસા પોતાના લોકોની સભાને સંબોધન કરી રહ્યા હતા. ત્યારબાદ બિરસાના કેટલાક શિષ્યોની ધરપકડ પણ થઇ હતી. અંતે બિરસાએ જાતે ફેબ્રુઆરી ૩, ૧૯૦૦ના દિને ચક્રધરપુરમાં જાતે ધરપકડ વહોરી લીધી હતી .

ચાઈબાસામાં વિતાવેલા ચાર વર્ષોએ બિરસા મુંડાના જીવન પર ઊંડી અસર કરી. 1895 સુધીમાં, બિરસા મુંડા એક સફળ નેતા તરીકે ઉભરવા લાગ્યા જે લોકોમાં જાગૃતિ ફેલાવવા માંગતા હતા. 1894 ના દુષ્કાળ દરમિયાન, બિરસા મુંડાએ તેમના મુંડા સમુદાય અને અન્ય લોકો માટે અંગ્રેજો પાસેથી ભાડું માફીની માંગ કરવા આંદોલન કર્યું.

1895 માં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને હજારીબાગ સેન્ટ્રલ જેલમાં બે વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. પરંતુ બિરસા અને તેમના શિષ્યો પ્રદેશના દુષ્કાળગ્રસ્ત લોકોની મદદ કરવા માટે મક્કમ હતા અને આ જ કારણ હતું કે તેમને તેમના જીવનકાળ દરમિયાન એક મહાન વ્યક્તિનો દરજ્જો મળ્યો. તે વિસ્તારના લોકો તેમને “ધરતી આંબા” તરીકે બોલાવતા અને પૂજતા. તેમનો પ્રભાવ વધ્યા પછી, આખા વિસ્તારના મુંડાઓ સંગઠિત થવાથી વાકેફ થયા.1897 અને 1900 ની વચ્ચે, મુંડાઓ અને અંગ્રેજ સૈનિકો વચ્ચે યુદ્ધો થયા અને બિરસા અને તેના અનુયાયીઓએ અંગ્રેજોને ચોંકાવી દીધા હતા. ઓગસ્ટ 1897 માં, બિરસા અને તેના ચારસો સૈનિકો તીરથી સજ્જ સૈનિકોએ ખુંટી પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. 1898 માં, મુંડાઓએ ટાંગા નદીના કિનારે બ્રિટિશ દળો સાથે અથડામણ કરી, જેમાં પહેલા તો બ્રિટિશ સેનાનો પરાજય થયો, પરંતુ પછીથી, બદલામાં, તે વિસ્તારના ઘણા આદિવાસી નેતાઓની ધરપકડ કરવામાં આવી. જાન્યુઆરી 1900 માં, જ્યાં બિરસા એક જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યાં ડોંબરી ટેકરી પર બીજો સંઘર્ષ થયો, જેમાં ઘણી સ્ત્રીઓ અને બાળકો માર્યા ગયા. બાદમાં બિરસાના કેટલાક શિષ્યોની પણ ધરપકડ કરવામાં આવી હતી. આખરે બિરસાની પોતે 3 ફેબ્રુઆરી 1900ના રોજ ચક્રધરપુર ખાતે ધરપકડ કરવામાં આવી હતી.

બિરસા મુંડાએ જૂન ૯ ૧૯૦૦ના દિવસે રહસ્યમય રીતે રાંચી ખાતે કારાગારમાં અંતિમ શ્વાસ લીધા.આજે પણ બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આદિવાસી વિસ્તારોમાં બિરસાને ભગવાનની જેમ પૂજવામાં આવે છે.

Reporter :દીપક જગતાપ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here