BHARUCH : આમોદના કાકરિયા ગામે આદિવાસી ખેડૂત પુત્રનો તૈયાર કપાસ રાતોરાત કાપી નંખાયો; પંથકમાં જંગી આક્રોશ!

0
30
meetarticle

ભરૂચ-આમોદ: આમોદ તાલુકાના કાકરિયા ગામે અસામાજિક તત્ત્વોએ કૃરતાની હદ વટાવી દીધી છે. દેવું લઈને, દિવસ-રાતની મહેનત અને પરસેવાથી આદિવાસી ખેડૂત પુત્રોએ તૈયાર કરેલો કપાસનો ઊભો પાક રાતોરાત કાપી નાખવામાં આવતાં સમગ્ર પંથકમાં જંગી આક્રોશ ફાટી નીકળ્યો છે.

પાક નષ્ટ થતાં જ ખેડૂત મંગળભાઈ વસાવા અને તેમના પત્ની કૈલાશબેન ખેતરની વચ્ચે જ ધરાશાયી થઈને રડી પડ્યા હતા. જીવનનો આધાર છીનવાઈ જવાનું આ દ્રશ્ય જોઈને ગામલોકો પણ સદમામાં આવી ગયા છે. ખેડૂતના જીવન પરનો આ સીધો અને કાયરતાપૂર્ણ હુમલો ગણાઈ રહ્યો છે.

સ્થાનિક બુટલેગર પર ગંભીર આક્ષેપ સગું ઘડતરપૂર્વક કાવતરું!
ખેડૂત દંપતી મંગળભાઈ વસાવા અને કૈલાશબેન વસાવાએ અત્યંત ગંભીર આક્ષેપ કર્યો છે. તેમનો સ્પષ્ટ આરોપ છે કે સ્થાનિક બુટલેગર રાવજીભાઈ સોમાભાઈના ઈશારે તેમના માણસોએ આખું કપાસનું વાવેતર કાપી નાખ્યું છે.
પાક નષ્ટ કરવો એટલે સીધી રીતે ખેડૂતની આજીવિકા અને તેના અધીકારો પર હુમલો કરવો છે. આ આક્ષેપોને કારણે મામલો વધુ ગંભીર બન્યો છે.

આમોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, ગામલોકોની એક જ માંગ: “કોઈને છોડવામાં ન આવે!”

આમોદ પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે સત્તાવાર ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.

જોકે, ગામલોકો અને ખેડૂત સમાજનો ગુસ્સો ઉફાન પર છે. તેમની એક જ અને ખુલ્લી માગણી છે કે: “કાયદાની ધરપકડથી કોઈ પણ આરોપી બચવો નહીં જોઈએ, અને આરોપ સાબિત થાય તો કડકમાં કડક ઉદાહરણરૂપ સજા થવી જ જોઈએ!”

કપાસ વીણવાની સીઝનના બરાબર સમયે કરાયેલો આ ‘કાયર હુમલો’ માત્ર પાકનો વિનાશ નથી, પરંતુ આ આદિવાસી સમાજના અસ્તિત્વ, પરસેવા અને પરિશ્રમ પરનો સીધો હુમલો છે.

વેદના સમગ્ર સમાજની વેદના બની ગઈ છે. લોકો ઈચ્છી રહ્યા છે કે વહેલી તકે ન્યાય મળે અને દોષિતોને સજા થાય. પોલીસની તપાસ પર સમગ્ર પંથકની નજર છે.

રિપોર્ટર :ભરત મિસ્ત્રી,ભરૂચ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here