GUJARAT : સોમનાથ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના ૭૫’મા નિર્વાણ દિન નિમિત્તે પુષ્પાંજલિ અને મધ્યાન મહાપૂજન

0
41
meetarticle

​રાષ્ટ્રના એકતાના શિલ્પી અને આધુનિક ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલના ૭૫’ મા નિર્વાણ દિન નિમિત્તે આજરોજ તારીખ ૧૫-૧૨-૨૦૨૫ ના રોજ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પાવન ધામ ખાતે તેમને ભાવભીની અંજલિ આપવામાં આવી.

સરદાર પ્રતિમાને પુષ્પાંજલિ
​સોમનાથ મંદિર પરિસરમાં સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ટ્રસ્ટના અધિકારીઓ અને તીર્થપુરોહિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ વેળાએ સરદાર સાહેબના રાષ્ટ્ર નિર્માણ અને સોમનાથ મંદિરના પુનઃનિર્માણ માટેના અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.

મધ્યાન મહાપૂજન અને શાંતિ અર્થે પ્રાર્થનાઓ
​સરદાર નિર્વાણ દિવસ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ મધ્યાન મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં સરદાર વલ્લભભાઈ પટેલના દિવંગત આત્માની ચિર શાંતિ અને રાષ્ટ્રની પ્રગતિ અર્થે ભાવનાઓ સાથે પ્રાર્થના કરવામાં આવી હતી.



સરદાર પટેલનું અમૂલ્ય યોગદાન સ્મરણીય
​આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલના નિર્વાણને ૭૫’ વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે સોમનાથના પુનઃનિર્માણના સ્વપ્નદ્રષ્ટા અને મહાન સાહિત્યકાર કનૈયાલાલ મુનશીના એ ઐતિહાસિક શબ્દો યાદ કરવામાં આવ્યા:
​”જો સરદાર પટેલ ના હોત તો આપણી આંખો સોમનાથનું પુનઃનિર્માણ જોવા પામી ના હોત.”
​સરદાર સાહેબની સોમનાથ પુનઃનિર્માણની અડગ ઈચ્છાશક્તિને કારણે જ આજે સોમનાથનું ભવ્ય ધામ આપણી સમક્ષ ઊભું છે.

સાયં શૃંગાર અને દીપમાલા
​આજે સાંજે, સોમનાથ મહાદેવને વિશેષ સાયં શૃંગાર કરવામાં આવશે અને દીપમાલા કરીને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.

REPORTER : દિપક જોષી દ્વારા પ્રાચી

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here