કતારગામના પાંડોળ વિસ્તારમાં એક આધેડની નિર્મમ હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. મૃતક ખોડાભાઈ વિરજીભાઈ બાબરીયા (ઉ.વ.આ. 50) રહે વેડ રોડ પડોળ બાબા સીતારામ નગરના રહેવાસીની માથામાં પથ્થરથી હુમલો અને લગભગ ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ છે. ખોડાભાઈનું પરિવાર વરાછામાં રહેતું હોવાનું અને ખોડાભાઈ પરિવારથી અલગ રહેતા હોવાનું બહાર આવ્યું છે.
ખોડાભાઈ જેરામ મોરાની વાડીમાં રત્નકલાકારો તરીકે કામ કરતા હતા.ખોડાભાઈનું કેટલાક અજાણ્યા ઈસમોએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી ભાગી જતા પોલીસે નાકાબંધી કરી તમામને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ધોળે દિવસે યુવાનની હત્યા પાછળ ઘેરાતું રહસ્ય જાણવા પોલીસે આજુબાજુના લોકોની પૂછપરછ હાથ ધરી છે.