AHMEDABAD : ગાયકવાડ હવેલી વિસ્તારમાં યુવકે પ્રેમ પ્રકરણમાં રિક્ષા સળગાવી

0
10
meetarticle

 અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં એક શખસે રિક્ષા સળગાવી આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. રિક્ષાચાલક પ્રદીપ ચૌધરીએ સાળીને હેરાન કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખસે આજીવિકાના સાધન સમાન રિક્ષાને આગ ચાંપી દીધી હતી. આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી અનુસાર,, ભોગ બનનાર રિક્ષાચાલક પ્રદીપ ચૌધરીની સાળીને મિલન કહાર નામનો શખસ અવારનવાર હેરાન કરતો હતો. આ બાબતની જાણ પ્રદીપભાઈને થતા તેમણે મિલન કહારને અટકાવ્યો હતો અને સાળીનો પીછો ન કરવા તથા હેરાન ન કરવા માટે સમજાવ્યો હતો. પોતાને ટોકવામાં આવતા મિલન કહાર ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે બદલો લેવાની ફિરાકમાં રાત્રિના સમયે પ્રદીપ ચૌધરીની રિક્ષાને આગ ચાંપી દીધી હતી. આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં આખી રિક્ષા બળીને ખાખ થઈ ગઈ હતી

.CCTV ફૂટેજમાં કેદ થઈ કરતૂત

રિક્ષા સળગાવવાની આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આરોપી મિલન કહાર રિક્ષા પાસે પહોંચે છે અને જ્વલનશીલ પદાર્થ છાંટી રિક્ષાને સળગાવીને ત્યાંથી ભાગી જાય છે. આ ફૂટેજ હવે પોલીસ તપાસમાં મુખ્ય પુરાવો સાબિત થશે. પોતાની આજીવિકાનું એકમાત્ર સાધન છીનવાઈ જતા રિક્ષાચાલક પ્રદીપ ચૌધરીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં મિલન કહાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here