AHMEDABAD : નવરાત્રિ ગરબીમાં ધૂણવાના રાસ પર વિજ્ઞાન જાથાની અપીલ

0
71
meetarticle

નવરાત્રિ પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે ભારતમાં જન વિજ્ઞાન જાથા (Jatha) દ્વારા પ્રાચીન ગરબીના આયોજકોને ધૂણવાના રાસ બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી છે. જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું છે કે આ પ્રકારના રાસથી બાળાઓને માનસિક અને શારીરિક હાનિ થઈ શકે છે.
જાથાના મતે, ગરબીમાં થતો ધૂણવાનો રાસ, જેને ‘સવારી આવવી’ પણ કહેવામાં આવે છે, તે એક મહાડિંડક અને માનસિક રોગ છે. આ રાસથી બાળમાનસ પર અંધશ્રદ્ધા પ્રેરક વિપરીત અસરો થાય છે, જેનાથી ભવિષ્યમાં ડિસોસિએટિવ ડિસઓર્ડર, ઓબ્જેશન, હિસ્ટેરીયા અને ભયભીત વળગાડ જેવા રોગો થવાની શક્યતા રહે છે. પંડયાએ વધુમાં જણાવ્યું કે માસ હિસ્ટરિયા અને માનસિક રીતે નબળા લોકો સહેલાઈથી હિપ્નોટાઈઝ થઈને ધૂણે છે.


આ રાસ દરમિયાન ગૂગળ, અગરબત્તીનો ધુમાડો, અને ડોકું હલાવવાથી બાળાઓને ઓક્સિજનની ઉણપ, શારીરિક થાક અને કાર્બન મોનોક્સાઈડ જેવી હાનિકારક અસરો થાય છે, જે બેહોશ થવાનું કારણ બની શકે છે. આનાથી માથાના ભાગેની નસોને પણ નુકશાન થઈ શકે છે, જે કાયમી અપંગતાનું કારણ પણ બની શકે છે.
જાથાએ સ્પષ્ટ કર્યું છે કે તેમની આ અપીલ શ્રદ્ધા કે ભક્તિની વિરુદ્ધ નથી, પરંતુ વિજ્ઞાન અને તર્કના આધારે છે. તેઓ માને છે કે ૨૧મી સદીના આધુનિક યુગમાં ધૂણવાનો રાસ પછાતપણાની નિશાની છે અને તે આપણી સંસ્કૃતિનો ભાગ નથી. આયોજકો અને વાલીઓએ જાગૃત થઈને આ પ્રકારના હાનિકારક રાસને દૂર રાખવા જોઈએ અને નવતર રાસ-કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું જોઈએ.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here