AHMEDABAD : શ્રી કલ્યાણ પુષ્ટિ હવેલીમાં અન્નકૂટ ઉત્સવ નિમિત્તે ભક્તોની ભીડ ઉમટી પડી

0
41
meetarticle

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી શ્રી કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે શુક્રવાર, કારતક વદ 10ના રોજ યોજાયેલ શ્રી અન્નકૂટ ઉત્સવનો કાર્યક્રમ ભવ્ય રીતે પૂર્ણ થયો. પ.પૂ. ગો. 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની આજ્ઞાથી યોજાયેલા આ ઉત્સવમાં સવારે યોજાયેલા ગોવર્ધન પૂજા તથા સાંજના શ્રી અન્નકૂટ દર્શન દરમિયાન ભક્તોએ ઉમંગભેર હાજરી આપી.

સવારે 10 વાગ્યે શરૂ થયેલી ગોવર્ધન પૂજામાં મોટી સંખ્યામાં વૈષ્ણવજનો જોડાયા હતા. સાંજના ૫થી ૮ વાગ્યા સુધી ચાલેલા અન્નકૂટ દર્શન દરમિયાન હવેલી પરિસરમાં ભક્તોની ભારે અવરજવર જોવા મળી હતી. વિવિધ પ્રકારનાં ભોગ અને શાકાહારી 108 વ્યંજનોથી સજ્જ અન્નકૂટના વૈભવમય દર્શનથી ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો.

હવેલી સંચાલકોએ જણાવ્યા મુજબ, આ વર્ષે દર્શનાર્થીઓની સંખ્યા અગાઉની સરખામણીએ નોંધપાત્ર રીતે વધુ રહી, જ્યારે અનેક પરિવારો બાળકો સાથે હાજરી આપી આશીર્વાદ મેળવ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here