ARTICLE : દેશ વિદેશમાં વસંત પંચમી ઉત્સવ કેવી રીતે ઉજવાય છે?

0
10
meetarticle

વસંતપંચમી અથવા સરસ્વતી પૂજા, શ્રી પંચમી હિંદુ ધર્મનો ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે. આ તહેવાર માઘ માસની શુક્લ પક્ષની પાંચમી તિથિએ ઉજવાય છે, જે સામાન્ય રીતે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં આવે છે.

વસંતપંચમીનું મહત્વ:

આ દિવસે વસંત ઋતુની શરૂઆત થાય છે. ઠંડી પૂરી થઈને ગરમી અને તાજગી આવે છે, સરસવના ખીલેલા પીળા ફૂલો ખીલે છે.
માતા સરસ્વતી (જ્ઞાન, વિદ્યા, સંગીત, કળા અને બુદ્ધિની દેવી)નો જન્મદિવસ/પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર બ્રહ્માજીએ સૃષ્ટિ રચના માટે જ્ઞાનની જરૂર પડતાં સરસ્વતીનું અવતરણ કર્યું હતું.વિદ્યાર્થીઓ, કલાકારો, લેખકો, સંગીતકારો માટે ખાસ શુભ દિવસ છે. આ દિવસે નવું શિક્ષણ શરૂ કરાય છે (વિદ્યારંભ/અક્ષરારંભ)થાય છે.નવો વ્યવસાય કે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે છે. લગ્ન વગેરે શુભ કાર્યો માટે આ દિવસ ખૂબ અનુકૂળ માનવામાં આવે છે.આ દિવસે પીળો રંગનું મહત્વ હોય છે. સરસવના ફૂલ જેવા જ્ઞાન, ઉર્જા, સમૃદ્ધિ અને ગુરુનું પ્રતીગણાય છે.

ભારતમાં કેવી રીતે ઉજવાય છે વસંત પંચમી?

અલગ-અલગ પ્રદેશોમાંવસંત પંચમી પર્વ જુદી જુદી રીતે ઉજવાય છે.સામાન્ય રીતે સવારે સ્નાન કરીને પીળા કે સફેદ વસ્ત્ર પહેરીને માતા સરસ્વતીની મૂર્તિ/ચિત્રની પૂજા કરવામાં આવે છે. પુસ્તકો, વાદ્યો, પેન-કોપી વગેરેને પણ પૂજામાં સામેલ કરીને અર્પણ કરવામાં આવે છે.
પૂર્વ ભારત (પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા)માં સરસ્વતી પૂજા ખૂબ ભવ્ય રીતે થાય છે. શાળા-કોલેજમાં મોટી મૂર્તિ સ્થાપિત થાય છે, બાળકો પુસ્તકોની પૂજા કરે છે, મીઠાઈઓ (ખાસ કરીને પીળા ચોખા/કીર) બનાવીને ભોગ ધરાવાય છે.
જયારે ઉત્તર ભારત (પંજાબ, હરિયાણા, રાજસ્થાન)માં પતંગબાજીનો મહોત્સવ ખૂબ ઉત્સાહથી ઉજવાય છે. પીળા કપડાં પહેરીને ઘરે-ઘરે તહેવાર મનાવાય છે.
ગુજરાત-મહારાષ્ટ્ર માં ઘરે સરસ્વતી પૂજા, પીળા રંગના વસ્ત્રો, મીઠાઈઓ (ખાસ કરીને પીળા ચોખા/ખીર), કેટલાક સ્થળોએ ગણેશ-વિષ્ણુ પૂજા પણ થાય છે. શિક્ષણ સંસ્થાઓમાં બાળકો પોતાના પુસ્તકો-પેનને પૂજે છે અને નવું શિક્ષણ શરૂ કરે છે.

વિદેશમાં કેવી રીતે ઉજવાય છે?:

ભારતીય ડાયસ્પોરા (ભારતીય વંશના લોકો) દ્વારા વિશ્વભરમાં વસંત પંચમી અલગ અલગ રીતે ઉજવાય છે, ખાસ કરીને અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, યુરોપ, ગલ્ફ દેશોમાં ઉજવાય છે.

ઇન્ડોનેશિયા અને બાલીમાં”હરિ રાયા સરસ્વતી” તરીકે ઉજવાય છે. શાળા-કોલેજ બંધ રહે છે, બાળકો રંગબેરંગી કપડાં પહેરીને પૂજા કરે છે, ફળ-મીઠાઈ અર્પણ કરે છે.
જયારે અન્ય દેશોમાં ભારતીય મંદિરો, સાંસ્કૃતિક સંગઠનો અને ઘરોમાં સરસ્વતી પૂજા થાય છે. ઓનલાઇન/ઓફલાઇન કાર્યક્રમો, સંગીત-નૃત્ય, વિદ્યાર્થીઓના સન્માનના કાર્યક્રમો યોજાય છે. પણ પીળા રંગ અને મીઠાઈઓનો ઉપયોગ સર્વત્ર થાય છે.
આ તહેવાર જ્ઞાન, સર્જનાત્મકતા અને પ્રકૃતિના નવા જીવનનું પ્રતીક છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here