BHARUCH : ગણેશ વિસર્જન શોભાયાત્રામાં ગુલાલ અને કલર પર પ્રતિબંધ: ભરૂચ જિલ્લા કલેકટરનું જાહેરનામું

0
81
meetarticle

આગામી ગણેશ ચતુર્થી પર્વ દરમિયાન, ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા શ્રીજીની શોભાયાત્રાઓમાં અબીલ, ગુલાલ, અને કલર ઉડાડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ નિર્ણય જાહેર શાંતિ, કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

આ જાહેરનામા મુજબ, ગણેશ સ્થાપનાના દિવસ પહેલાં કે વિસર્જનની શોભાયાત્રા દરમિયાન મંડળો દ્વારા જાહેર માર્ગો પર અબીલ, ગુલાલ, કે અન્ય કોઈપણ પાવડર સ્વરૂપના રંગો ઉડાડવા કે ફેંકવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ઘણીવાર આવા કૃત્યોથી રાહદારીઓ, વાહનચાલકો, અને મિલકતોને નુકસાન પહોંચે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક હોય છે. આ ઉપરાંત, આવા બનાવો કાયદો અને વ્યવસ્થા માટે અવરોધક બની શકે છે.

ઉલ્લેખનીય છે કે, ગણેશ મૂર્તિઓની સ્થાપના 27મી ઓગસ્ટથી થશે અને ત્રીજા, પાંચમા, સાતમા, અને આનંદ ચૌદશના દિવસે શોભાયાત્રા સાથે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. આ દરમિયાન જાહેર જનતાને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે આ પ્રતિબંધાત્મક પગલાં લેવામાં આવ્યા છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here