શક્તિપીઠ અંબાજી મંદિર માં જગતજનની અંબા નુ પ્રસિદ્ધ મંદિર છે જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં માઇ ભક્તો માં અંબાના ચરણોમાં શીશ નમાવી માતાજીનો આશીર્વાદ મેળવે છે કરોડો લોકોની આસ્થા અંબાજી મંદિર થી જોડાયેલી છે. ત્યારે અંબાજી મંદિરમાં અમુક પૂજારીઓ જે મંદિરમાં પૂજા વિધિ કરતા હોય છે તે પત્રકાર બનીને મંદિરમાં બહારથી આવતા દર્શનાર્થીઓ અને યાત્રાળુઓ પર રોફ જમાવતા હોય છે. અંબાજી મંદિરમાં એવા પૂજારીઓ જે પૂજા વિધિ સાથે સાથે પત્રકારનું કામ પણ સાથે સાથે કરીને પોતાની કમાણી નો રસ્તો શોધતા હોય છે.

અંબાજી મંદિરમાં માતાજી પડતી કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે ત્યારે માં જગતજનની અંબા ના મંદિરમાં અનેકો એવી ગુપ્ત અને સંવેદનશીલ માહિતીઓ અમુક પૂજારીઓના ભેસ મા બેઠેલા પત્રકાર જગ જાહેર અને પોતાની કમાણી ને લઈ માહિતીઓ બાહર પાડી દેતા હોય છે. ત્યારે એવા પૂજારીઓ જે પત્રકાર ના ભેસ મા છે એમના ઉપર કાર્યવાહી કરવી જોઈએ…. ડબલ ભૂમિકા ભજવતા પૂજારીઓ ને ઓળખી ને ફરજ પર થી છૂટ્ટા કરી દેવા જોઈએ કે પછી પૂજારીઓ પત્રકાર ની ભૂમિકા ને છોડી દે જરૂરી બન્યું છે
