ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી બ્લેક રોઝ કંપનીની પાછળના ભાગે જાહેરમાં છોડવામાં આવેલા કેમિકલયુક્ત ઝેરી પાણી પી જવાથી એક સાથે આઠ ગાયોના મોત નિપજ્યા છે.
પશુપાલક ગંગદાસ ધરજીયાએ આ અંગે ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે અને કેમિકલ છોડવા બદલ કંપની પર આક્ષેપ કર્યો છે.

બનાવની ગંભીરતા જોતા જીપીસીબી (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) ની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કેમિકલયુક્ત પાણીના નમૂના લીધા છે.

આ સાથે ઝઘડિયા પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે.
કેમિકલવાળુ પાણી જાહેરમાં છોડીને લોકો તથા પશુઓના જીવ જોખમમાં મુકતી કંપનીઓ સામે કડક કાર્યવાહી થવી જરૂરી હોવાની માંગ ઉઠી છે.

