BHARUCH : બિસ્માર રસ્તાનો ભોગ: ઝઘડિયા નજીક વડિયા-માલસર માર્ગે ST બસ ખાડામાં ફસાઈ, મુસાફરોને હાલાકી

0
29
meetarticle

​ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વડિયા નજીક અંકલેશ્વર-અંબાજી રૂટની એક ST બસ રસ્તા પરના એક મોટા ખાડામાં અચાનક ફસાઈ ગઈ હતી. આ ઘટનાને કારણે બસના આગળના ભાગને નુકસાન થયું હતું અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


​બસ ઊંડા ખાડામાં ફસાઈ જતાં મુસાફરો થોડા સમય માટે ભયભીત થયા હતા, જોકે સદનસીબે કોઈ જાનહાનિ કે ઇજાના સમાચાર નથી.
​ ​માલસર બ્રિજથી વડિયા મંદિર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે. ખરાબ રસ્તાના કારણે ST બસ સહિત અન્ય વાહનચાલકોને અવારનવાર અકસ્માત અને વાહનોને નુકસાન વેઠવું પડે છે.
​બિસ્માર રસ્તાઓને કારણે મુસાફરોને થતી અસુવિધા અને વારંવાર બનતી આવી ઘટનાઓ અંગે લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here