ઝઘડિયા તાલુકામાં થઈ રહેલા ગેરકાયદે ખનીજ ખનન અને રોયલ્ટી ચોરી સામે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી, ભરૂચની ટીમે કડક કાર્યવાહી કરી છે.
ભૂસ્તરશાસ્ત્રીની સૂચના મુજબ ક્ષેત્રીય તપાસ ટીમે ઝઘડિયાના વાઘપૂરા ગામ નજીકથી ખનીજ વહન કરતા વાહનોની તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત વહન કરતા કુલ ચાર વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.

ભૂસ્તર વિભાગ દ્વારા ચારેય વાહનો અને તેમાં ભરેલા ખનીજ સહિત કુલ રૂપિયા ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઝડપાયેલા વાહનો સામે નિયમોનુસારની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા પણ ઝઘડિયાના નાયબ કલેક્ટરે ઓવરલોડ અને ડોક્યુમેન્ટ વગર ખનીજ વહન કરતાં વાહનોને પકડીને વધુ તપાસ માટે ભૂસ્તર વિભાગને સોંપ્યા હતા.
