ઉત્તર પશ્ચિમ રેલ્વેના જયપુર મંડળના ખાતીપુરા સ્ટેશન પર એન્જિનિયરિંગ કામને કારણે, ભુજ-બરેલી એક્સપ્રેસ અને વારાણસી-સાબરમતી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ પર દોડશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
ભુજ-બરેલી એક્સપ્રેસ આ સ્ટેશન પર રોકાશે
•૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫ની ટ્રેન નંબર ૧૪૩૨૨ ભુજ-બરેલી એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ ફુલેરા-જયપુર-અલવર-રેવાડીને બદલે પરિવર્તિત માર્ગ ફુલેરા-રિંગસ-રેવાડી થઈને દોડશે. પરિવર્તિત માર્ગ પર, આ ટ્રેન રિંગસ, નીમકા થાણા, નારનૌલ અને અટેલી સ્ટેશનો પર રોકાશે.


