BREAKING NEWS : ઓડિશામાં ભુવનેશ્વર જતું વિમાન ક્રેશ, પાઈલટ સહિત 7 લોકો સવાર હતા

0
34
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ઓડિશાના રાઉરકેલામાં એક 9 સીટર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે. આ ઈન્ડિયન વન એરનું 9 સીટર વિમાન હતું. જે રાઉરકેલાથી ભુવનેશ્વર જતું હતું. આ વિમાનમાં કુલ 7 લોકો મુસાફર હતા જેમાં 6 મુસાફર અને 1 પાઈલટ સામેલ છે. રાઉરકેલાથી ઉડાન ભર્યાની અમુક જ મિનિટો બાદ લગભગ 10 કિ.મી. દૂર આ વિમાન તૂટી પડ્યું હતું. જોકે વિમાન ક્રેશ થવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. 

પાઈલટની હાલત ગંભીર 

આ વિમાન દુર્ઘટનામાં પાઈલટને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેની હાલત ગંભીર જણાવાઈ રહી છે અને હાલમાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે અન્ય છ મુસાફરોને સામાન્ય ઈજાઓ થઇ હોવાની જાણકારી મળી રહી છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here