BUSINESS : બેંકોને શરતો સાથે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટને ધિરાણ મંજૂરી આપવાનો પ્રસ્તાવ

0
12
meetarticle

રિઅલ એસ્ટેટ ક્ષેત્રને નાણાંકીય ભંડોળ પ્રવાહ વધારવાના ભાગરૂપ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ રિઅલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટસ (આરઈઆઈટીસ)ને નાણાં ધિરવા બેન્કોને મંજુરી આપવા દરખાસ્ત રજૂ કરી છે.

આરઈઆઈટીસ એક ઈન્વેસ્ટમેન્ટસ માધ્યમ છે જે આવક ઊભી કરતા રિઅલ એસ્ટેટ ધરાવે છે અથવા તો તેનું સંચાલન કરે છે જે દ્વારા રોકાણકારો રિઅલ એસ્ટેટમાં  પ્રોપર્ટીસની સીધી ખરીદી કર્યા વગર ટ્રસ્ટની આવકમાં હિસ્સો મેળવી શકે છે.

સમાપ્ત થયેલા અથવા કાર્યરત રિઅલ એસ્ટેટ અને માળખાકીય પ્રોજેકટસમાંથી બેન્કોના નાણાં છૂટા કરવા ભારતમાં આરઈઆઈટી અને ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની રચના આવી પડી છે.

આ ટ્રસ્ટસ રિટેલ રોકાણકારો અથવા સંસ્થાઓ પાસેથી મેળવેલા નાણાં સદર પ્રોજેકટસમાં રિફાઈનાન્સ કરે છે. આ હકીકતને ધ્યાનમાં રાખી બેન્કોને આ ટ્રસ્ટોને નાણાં ધિરવાની પરવાનગી અપાઈ નહોતી. જો કે બાદમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટને નાણાં પૂરા પાડવા મંજુરી અપાઈ હતી પરંતુ આરઈઆઈટીને બેન્કો હજુપણ નાણાં ધીરી શકતી નથી. 

રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં નાણાં પ્રવાહ વધારવાના ભાગરૂપ હવે કેટલીક શરતોને આધીન આરઈઆઈટીને નાણાં ધિરવાની બેન્કોને છૂટ આપવા દરખાસ્ત તૈયાર કરાઈ હોવાનું રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું.

નિયમો હેઠળ બેંકોને સીધા REITs ને ધિરાણ આપવાની મંજૂરી આપવાના નિર્ણય REITs માટે મૂડી એકત્ર કરવાનું, ખર્ચ ઘટાડવાનું અને ઓફિસ અને રિટેલ જેવા વાણિજ્યિક ક્ષેત્રોમાં વિસ્તરણને વેગ આપવાનું સરળ બનાવશે. આ પગલું ફક્ત ત્યારે જ વધુ અસરકારક રહેશે જો તેની સાથે કડક નિયમનકારી દેખરેખ અને જોખમ નિયંત્રણ હોય.

નાણાકીય નીતિ સ્થાનિક અર્થતંત્રની મજબૂતાઈ અને સતત સમર્થનમાં વિશ્વાસ પ્રતિબિંબિત કરે છે. RBIના લિક્વિડિટી મેનેજમેન્ટ સંકેતો ભંડોળ ખર્ચ પરના તાજેતરના દબાણને દૂર કરવામાં મદદ કરી શકે છે. REITs દ્વારા રિયલ એસ્ટેટ ક્ષેત્રને લાંબા ગાળાના ભંડોળ પૂરું પાડવા જેવા નિર્ણયો ક્રેડિટ સિસ્ટમ માટે મુખ્ય હકારાત્મક છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here