GUJARAT : વાગરામાં ‘વિકાસ’ કાગળ પર, ‘ભ્રષ્ટાચાર’ જમીન પર: ગ્રામસભામાં લોકોનો રોષ ફાટી નીકળ્યો

0
127
meetarticle

વાગરા ગ્રામ પંચાયત દ્વારા તાજેતરમાં યોજાયેલી ગ્રામસભામાં લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો. આ બેઠક માત્ર એક ઔપચારિકતા બની રહી હતી, જેમાં તંત્રની નિષ્ક્રિયતા, બેદરકારી અને વ્યાપક ભ્રષ્ટાચારની પોલ ખુલી પડી હતી. ખેડૂતો અને સામાન્ય નાગરિકોએ વીજળી, પાણી, ટ્રાફિક અને રસ્તાઓ જેવી પાયાની સુવિધાઓમાં રહેલી ગંભીર ખામીઓ પર અવાજ ઉઠાવ્યો હતો.


ગ્રામજનોએ વીજળી વિભાગ (GEB) સામે ખેડૂતોની જમીન પર મંજૂરી વગર વીજપોલ નાખવા અને દિવસ દરમિયાન સ્ટ્રીટ લાઇટો ચાલુ રાખવા જેવી ગંભીર અનિયમિતતાઓ અંગે રોષ વ્યક્ત કર્યો હતો. પોલીસ વિભાગ સામે ટ્રાફિક સમસ્યા અને ગેરકાયદેસર બાંધકામોની અવગણના કરવા બદલ આક્રોશ ઠાલવ્યો હતો. સૌથી વધુ ગરમાવો પાણીના મુદ્દે થયો હતો, જ્યાં લાખો રૂપિયાના ખર્ચ છતાં નળમાંથી પાણી ન મળતા ‘ભ્રષ્ટાચાર’ના સીધા આક્ષેપો થયા હતા.
ગ્રામસભામાં પંચાયતના પ્રમુખ, તલાટી, પોલીસ અને GEB સહિતના અધિકારીઓ ઉપસ્થિત હોવા છતાં કોઈ નક્કર સમાધાન કે કાર્યવાહીની ખાતરી આપવામાં આવી ન હતી. અધિકારીઓએ સ્ટાફની અછત જેવા બહાના રજૂ કરી પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. આ પરિસ્થિતિએ સ્પષ્ટ કરી દીધું કે વાગરામાં ‘વિકાસ’ માત્ર કાગળ પર છે, જ્યારે ‘ભ્રષ્ટાચાર’ જમીન પર પ્રવર્તી રહ્યો છે. આશ્વાસનોથી કંટાળેલી પ્રજાએ સત્તાધીશોને સવાલ કર્યો છે કે આ વિકાસ છે કે ભ્રષ્ટાચાર? આશા છે કે તંત્ર આ વખતે માત્ર વાતો નહીં, પરંતુ નક્કર કાર્યવાહી કરીને લોકોનો વિશ્વાસ ફરીથી જીતશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here