GANDHINAGAR : પેથાપુરમાં વગર ચોમાસે જળબંબાકારની સ્થિતિ : દોઢ કિલોમીટર સુધી નદી વહી

0
11
meetarticle

ચોમાસા બાદ શિયાળો પણ ઉતરવા તરફ છે. ત્યારે પેથાપુર વિસ્તારમાં સળંગ દોઢ કિલોમીટરથી વધુ લાંબા પટ્ટામાં નદી વહેતી થવાનાં દશ્યો સર્જાવાની સાથે લાખ્ખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. મુખ્ય માર્ગ અને સોસાયટીઓમાં અચાનક પાણી વહેતા થવાથી થોડા સમય માટે તો લોકો ભયભિત બન્યા બાદ આક્રોશ ફેલાયો હતો. નવી લાઇન અને ટાંકીના હાઇડ્રોલિક ટેસ્ટિંગ દરમિયાન આ બનાવ બન્યો હતો.

પાટનગર સહિત મહાપાલિકા વિસ્તારમાં પીવાના પાણી અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવા પર સરકારે વિશેષ ભાર મુક્યો છે. પરંતુ તેની કામગીરી દરમિયાન આમ આદમી વ્યાપક હાલાકી વેઠી રહ્યાં છે. છેલ્લે પેથાપુર વિસ્તારને મહાપાલિકામાં સમાવાય બાદ ત્યાં પણ પાણી અને ગટરના કામો મોટાપાયે હાથ ધરવામાં આવ્યા છે. દરમિયાન પીવાના પાણી સંબંધે નવી નાંખવામાં આવેલી પાઇપ લાઇન અને પાણી સંગ્રહની ટાંકીનું કામ પૂણ થવાના પગલે તેનું હાઇડ્રોલિક ટેસ્ટિંગ બુધવારે કરવામાં આવ્યું ત્યારે લાઇનનું જોડાણ ખોલવાની સાથે જબરા ફોર્સથી વહેતું થયેલા પાણીથી શહેરી વિસ્તારમાં ચોતરફ પાણી-પાણીનો માહોલ સર્જાઇ ગયો હતો. દિપો માતા ચોકમાં તો રાહદારીએ ક્યાં પગ મુકવો તે સવાલ ઉભો થયો હતો. દોઢ કિલોમીટરથી વધુ લંબાઇના પટ્ટામાં નદી વહેતી થવાની સાથે પાણી સોસાયટીઓમાં અને મેદાનમાં પણ પહોંચ્યા હતાં.

– કાદવ કિચડનો માહોલ સર્જાયો : પાણી ભરાયેલા રહેશે તો રોગચાળાની ભીતી

અચાનક જ લાખ્ખો લીટર પાણી પુરા વેગથી સમગ્ર વિસ્તારમાં વહ્યુ હતું. ઘણા વિસ્તારમાં કાચા-પાકા અને ક્યાં સિમેન્ટના રોડ છે. હવે પાણી ભરાયેલા રહેશે, તો આવતા દિવસોમાં રસ્તાની હાલત બિસ્માર બનવાની શક્યતા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મોટો ભય રોગચાળો ફેલવાનો અને મચ્છરોની ઉત્પતિ થવાનો પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કેમ કે ચોમાસા દરમિયાન થાય તેવી જળબંબાકારની સ્થિતિ સર્જાતા તકાદવ કિચડનો માહોલ પણ બન્યો છે. આવી સ્થિતિમાં લોકોમાં રોષ ફેલાવો પણ સ્વાભાવિક છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here