GUJARAT : મહિસાગર જિલ્લાના આદિવાસી સમાજના સેંકડો યુવાનો જાતિના દાખલાઓ માટે વર્ષોથી ધક્કા ખાઈ રહ્યા છે.દાખલા નહીં આપીને ભાજપ સરકાર યુવાનોની કારકિર્દી ખતમ કરી રહી છે

0
29
meetarticle

જન આક્રોશ યાત્રાના તેરમાં દિવસની શરૂઆત લુણાવાડાથી કરવામાં આવી, ત્યારબાદ યાત્રા લીંબોદરા, લીંબડીયા, બાબલીયા, બાકોર, ખાનપુર, આંકલીયા, તલવાડા, અમથાની, ધાસવાડા, મુનપુર ગામ, કડાણા, દિવડા માર્ગે સંતરામપુર તરફ આગળ વધી. યાત્રા દરમિયાન રસ્તામાં સ્થાનિક નાગરિકોએ ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે કોંગ્રેસની સરકારે આદિવાસી સમાજને જળ, જમીન, જંગલના અધિકારો આપ્યા પણ જ્યારથી ભાજપ સત્તામાં આવી છે ત્યારથી આદિવાસી સમાજના આ અધિકારનો છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે આદિવાસી સમાજના યુવાનોને જાતિના દાખલા આપવામાં નથી આવતા ભાજપે આદિવાસી યુવાઓની જિંદગી બરબાદ કરી નાખી છે. નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં કરોડોનો ભ્રષ્ટાચાર પકડાયો હોવા છતાં ભાજપા ભ્રષ્ટાચારીઓને બચાવી રહી છે.આજે ભાજપના શાસનમાં સરકારી કચેરીઓમાં રૂપિયો આપ્યા વગર કોઈ કામ નથી થતા છેલ્લા કેટલાય સમયથી મહીસાગરમાં લોકો જિલ્લા દૂધ સંઘ અને જિલ્લા સહકારી બેંકની માંગ કરી રહ્યા છે જે પૂરી થવી જોઈએ


ગુજરાતમાં ભાજપ આટલા વર્ષોથી સત્તામાં હોવા છતાં હજુ પણ રાજ્યના નાગરિકોને પીવા માટે ચોખ્ખું પાણી આપી શકી નથી. સંતરામપુરમાં પણ અનેકવાર લોકોના ઘરોમાં દૂષિત પાણીની ફરિયાદો આવી ચૂકી છે. રાજ્યના પાટનગર એવા ગાંધીનગર જિલ્લામાં દર વર્ષે પ્રદૂષિત પાણીના કારણે ટાઈફોઈડ જેવા પાણીજન્ય રોગ થાય છે અને લોકોના મોત પણ થાય છે. હજુ ગઈકાલે પણ ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે અનેક લોકો બીમાર થયા છે અને સિવિલ હોસ્પિટલમાં લાઈનો લાગી છે. યાત્રા દરમિયાન ગઈકાલે બાલાસિનોરમાં પણ આવી જ સ્થિતિ સામે આવી. આ બધી ઘટનાઓ સ્પષ્ટ કરે છે કે ભાજપ શાસિત સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ છે અને આ સરકારને લોકોના જીવની કોઈ પડી નથી.
વિસ્તારમાં સ્થાનિક યુવાઓને રોજગાર માટે કોઈ વ્યવસ્થાઓ નથી. લોકો પોતાના ગામ છોડવા મજબૂર બની રહ્યા છે અને જુદા જુદા વિસ્તારોમાં જઈને મજૂરી કરવા મજબૂર બન્યા છે. કોંગ્રેસ ગરીબ વર્ગના લોકોને રોજગાર મળે એ માટે મનરેગા યોજના લાવી હતી, પરંતુ ભાજપ સત્તામાં આવતા તેમાં પણ ભ્રષ્ટાચાર કર્યો અને પોતાના ખિસ્સા ભર્યા તથા લોકોના હક્કો છીનવી લીધા ઉપરાંત બાજુના રાજ્ય રાજસ્થાનની ગાંધીનગરની સત્તામાં બેઠેલા મંત્રીના આદેશથી ખુદ પોલીસ દારૂની ગાડીઓને પ્રોટેક્શન આપીને ગુજરાતમાં ઘુસાડે છે બદલામાં કરોડોના હપ્તા સચિવાલય સુધી પહોંછે છે.
CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે જન આક્રોશ યાત્રા દરમિયાન તમામ જગ્યાએ આદિવાસી સમાજના લોકોએ જાતિના પ્રમાણપત્રને લઈને ફરિયાદ કરી છે. રાજ્ય સરકાર આદિવાસી સમાજના લોકોને ધક્કા ખવડાવે છે, યેનકેન પ્રકારે હેરાન કરે છે અને એમના હક્કો છીનવવાનો પ્રયાસ કરે છે. આ મુદ્દાને લઈને આગામી સમયમાં વિધાનસભામાં પણ રજૂઆત કરવામાં આવશે તેમજ આદિવાસી સમાજ સાથે મળીને રોડ રસ્તાઓ પર પણ આક્રમક લડત લડવામાં આવશે.
આ પ્રસંગે CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી, સહપ્રભારી શ્રી રામકિશન ઓઝા, સેવાદળ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈ, લુણાવાડા ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ, મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી હર્ષદભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યો, વરિષ્ઠ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા..

હેમાંગ મહિપતરામ રાવલ
મીડિયા કોકન્વીનર અને પ્રવક્તા,

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here