GUJARAT : અમદાવાદ ખાતે ‘ઘરશાળા’ની શૈક્ષણિક વિચાર ગોષ્ઠિ

0
37
meetarticle

ઘરશાળા શૈક્ષણિક સામયિક જે સતત છેલ્લા 85 વર્ષથી શિક્ષણ જગતની ચિંતા કરે છે.તેના લેખક મિત્રોની વિચાર ગોષ્ઠિ તા 4/1/26 ના રોજ બાલભારતી વિદ્યાલય અસારવા અમદાવાદ ખાતે “શૈક્ષણિક માસિકના પ્રશ્ર્નો અને તેના પૃથક્કરણ” વિષય પર યોજાઈ ગઈ.આદરણીય શ્રી રતિલાલ બોરીસાગર, શ્રી મનસુખભાઈ સલ્લા અને નિતાંત સત્ય સાથે જોડાયેલાં ડો. મફતભાઈ પટેલ જેવા વડિલોની હાજરી હતી .શ્રી ગોવિંદભાઈ દરજી, રમેશભાઈ ઓઝા, વિનોદભાઈ પટેલ જેવા લેખકો પણ ઉપસ્થિત હતાં.


તંત્રી શ્રી જ્યોતીન્દ્ર ભાઈ દવેએ જણાવ્યું હતું કે આ જ્યોત હરભાઈ ત્રિવેદી જેવાં પ્રબુધ્ધ કેળવણીકારોએ 85 વર્ષથી પ્રજ્વલિત છે એટલે તેને આફતો મુશ્કેલી વચ્ચે પણ શતક સુધી પહોંચાડવી છે.શ્રી તખુભાઈ સાંડસુર અને રમેશ ઓઝાએ પોતાના સુચનો અને ભાવ વ્યક્ત કર્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here