કાંકરેજ તાલુકામાંથી નવચરિત ઓગડ તાલુકાનું નિર્માણ થયો છે ત્યારે લોકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે

ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં ખુબજ ઉત્સાહ પૂર્વક આપડા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જી એસ ટી માં સુધારો કરીને NEXT GEN GST REFORMS લાગુ કરીને ઉદ્યોગકાર. વેપારીઓને GST Bachat utsav થી મળતા વિશેષ લાભો તેમજ વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ જે એક સામાન્ય લોકોથી લઈને મધ્યમ વર્ગના લોકોને જરૂરિયાત હોય છે ત્યારે હવે એમને ખરીદી કરવામાં મોટો ફાયદો થશે અને ખેડૂતોને કૃષિ વિષયક સાધનો તેમજ વિવિધ પ્રકારની દવાઓ પર જીએસટી ઘટતાં ખેડૂત આત્મ નિર્ભર બની શકે તેવી જુદી જુદી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ૧૧૦૦ જેટલી યોજનાઓ પર જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા એ પ્રેસ કોન્ફરન્સ યોજી જાણકારી આપી હતી જેમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર.કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ. થરા માર્કેટ યાર્ડ ના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ. મહામંત્રી રમેશભાઈ જોષી ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ બાદ સાથે ભોજન લીધું હતું
પ્રતિનિધિ : માનસિંહ ચૌહાણ ઓગડ

