GUJARAT : કોંગ્રેસના દુષ્પ્રચારનો છેદ ઉડાડતી ભરૂચ ભાજપની પત્રકાર પરિષદ: ‘VB-G RAM G’ યોજના મનરેગાના ભ્રષ્ટાચારનો અંત લાવશે

0
32
meetarticle

કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ‘વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ)’ એટલે કે VB-G RAM G યોજના અંગે વિપક્ષ દ્વારા કરવામાં આવતા ભ્રામક પ્રચારોનો જડબાતોડ જવાબ આપવા માટે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે એક મહત્વની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
​ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ યોજના ગુજરાત અને દેશના ગામડાઓની તસ્વીર બદલી નાખશે. અગાઉ મનરેગામાં માત્ર ૧૦૦ દિવસનું કામ મળતું હતું, જે હવે આ નવા અધિનિયમથી ૧૨૫ દિવસની ગેરંટી સાથે મળશે. એટલું જ નહીં, રાજ્યો પોતાના બજેટમાંથી વધારાના ૬૦ દિવસ ઉમેરી શકશે, એટલે કે ગ્રામીણ શ્રમિકોને વર્ષમાં કુલ ૧૮૫ દિવસની રોજગારી મળી શકશે.


​બજેટમાં ₹૬૦ હજાર કરોડનો તોતિંગ વધારો
જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આંકડાકીય વિગતો આપતા જણાવ્યું કે, કોંગ્રેસ શાસનમાં મનરેગાનું બજેટ માત્ર ₹૩૫ હજાર કરોડ હતું, જે મોદી સરકારે વધારીને ₹૯૫ હજાર કરોડ કર્યું છે. આ યોજના હેઠળ ૬૦% ફંડ કેન્દ્ર અને ૪૦% રાજ્ય સરકાર આપશે. આ અધિનિયમથી સાપ્તાહિક વેતન ચૂકવણીની વ્યવસ્થા કરાઈ છે, જેથી કામદારોને એક જ સપ્તાહમાં નાણાં મળી જશે.
​ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ઉમેર્યું કે, યોજનામાં પારદર્શિતા લાવવા માટે બાયોમેટ્રિક હાજરી, GPS ટ્રેકિંગ અને રિયલ-ટાઇમ ડેટા મોનિટરિંગનો ઉપયોગ થશે. ૫૦% થી વધુ કામો ગ્રામસભા દ્વારા નક્કી કરવામાં આવશે, જેથી ગામની જરૂરિયાત મુજબ જ વિકાસ થશે.
​ પત્રકાર પરિષદમાં ભાજપના આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે, યોજનાના નામમાં ‘રામજી’ શબ્દને લઈને કોંગ્રેસ ખોટો વિવાદ ઉભો કરી રહી છે. આ યોજના મહાત્મા ગાંધીજીની વિચારધારાને અનુરૂપ છે અને ગ્રામીણ ભારતને આત્મનિર્ભર બનાવવાની મોદી સરકારની ગેરંટી છે. આ પરિષદમાં ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા અને મહામંત્રી ફતેસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here