દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના પાવન અવસરે તેમજ ઓપરેશન સિંદુરને સફળતા માટે રાષ્ટ્ર સેવા અને માનવ સેવાના ભાવને પ્રત્યક્ષ કાર્યરૂપ આપવા નમૂ કે નામ રકદાન કેમ્પનું આયોજન છોટાઉદેપુર જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાં રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં છોટાઉદેપુર નગરના એપીએમસી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા કલેકટર ગાર્ગી જૈન, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, APMCના ચેરમેન મુકેશ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુ રાઠવા સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓએ રકદાન શિબિરમાં ભાગ લઇ રકદાન કર્યું હતું.
રિપોર્ટર: સોહેલ પઠાણ છોટાઉદેપુર

