જામનગર શહેરમાં રહેતી બે પરણીતાઓને તેણીના સાસરિયાઓએ મારકુટ કરી ત્રાસ ગુજારી પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢી હોવાથી બન્ને પરણીતાઓ દ્વારા સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જામનગરમાં ઇન્દિરા માર્ગ પર શાંતિ હાર્મની માં રહેતી ઉર્વશીબેન બીરજુભાઈ આણદાણી નામની ૩૧ વર્ષની પરણિત મહિલાએ લગ્નજીવન દરમિયાન પોતાને મારકુટ કરી ત્રાસ ગુજારી સગીર સંતાન સાથે ઘરમાંથી હાંકી કાઢવા અંગે પોતાના પતિ બીરજુ મનસુખભાઈ આણદાણી અને સાસુ હંસાબેન મનસુખભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે મહિલા પોલીસ સ્ટેશનની ટીમ વધુ તપાસ ચલાવે છે.
આ ઉપરાંત જામનગરમાં રણજીત સાગર રોડ પર નંદનવન પાર્ક શેરી નંબર એકમાં રહેતી અને શિક્ષિકા તરીકે નોકરી કરતી પારૂલબેન કિશોરભાઈ ડાંગર નામની 40 વર્ષની પરણીતા એ પોતાને તથા પોતાના પુત્રને મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢવા અંગે પોતાના પતિ કિશોર નાશાભાઈ ડાંગરિયા ડાંગર, સસરા નાશાભાઈ પાંચાભાઇ ડાંગર, જયેશ નાશાભાઈ ડાંગર અને જયેશભાઈ ડાંગર સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

