GUJARAT : નવરાત્રીમાં ગરબા સ્થળો પર ફાયર સેફ્ટી માટે તંત્રના કડક નિયમો

0
65
meetarticle

નવલી નવરાત્રીના પર્વમાં ગરબા મંડપોમાં કોઇ જ પ્રકારના અનિચ્છનીય બનાવો ના બને તે માટે તમામ પ્રકારની સેફ્ટી અને સલામતીની માર્ગદર્શિકા પ્રાદેશિક અગ્નિશમન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. જેનું ચુસ્ત પાલન મધ્ય ગુજરાતના તમામ જિલ્લામાં આયોજકોએ ફરજિયાત કરવા તાકીદ કરવામાં આવી છે.


નવરાત્રીના આયોજક દ્વારા કોઈપણ મંડપ, પંડાલ કે કામચલાઉ સ્ટ્રકચરનું સ્ટેજ બનાવે ત્યારે શાળા, હોસ્પિટલ, જવલનશીલ પદાર્થના ગોડાઉનથી દુર નિર્માણ કરવાનું રહેશે. આ માટે મંડપમાં ફાયરનાં વાહનો સરળતાથી અવર જવર શકે તે મુજબ રોડ, રસ્તા ખુલ્લા રાખવાનાં રહેશે. માર્ગમાં અવરોધક વસ્તુઓ તાત્કાલિક દુર કરવાની રહેશે.
પ્રાદેશિક અગ્નિશમન અધિકારી અનિરુદ્ધસિંહ એ. ગઢવીએ જણાવ્યું હતું કે, નવરાત્રી આયોજક દ્વારા કોઈ પણ મંડપ કોઈપણ પ્રકારની ભઠ્ઠી, ઈલેકટ્રીક સબ સ્ટેશન, ઈલે. ટ્રાન્સફોર્મરર, ઈલે. સબ. સ્ટેશન, ઈલે. હાઈટેન્શનલાઈન કે રેલ્વે લાઈનથી દુર આયોજન કરવાનું રહેશે. બે સ્ટ્રક્ચર વચ્ચે ૨ મીટરથી ઓછુ અંતર હોવું જોઈ નહિ.સ્ટ્રકચરની અંદર કોઈપણ પ્રકારનાં સ્ટોલ બનાવાશે નહીં. સ્ટેજની નજીક કે નીચેના ભાગમાં આગ લાગી શકે તેવા કોઈપણ પ્રકારનાં સાધન કે પ્રવાહી પદાર્થનો સંગ્રહ નહીં કરી શકો.
પંડાલમાં ફીક્સ પાર્ટીશનનહીં કરી શકાય.ઈમરજન્સીના સમયે વ્યક્તિઓ સહેલાઈથી એક્ઝીટ તરફ જઈ શકે તે મુજબ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે. પંડાલમાં દૈનિક અવર જવર કરતી વ્યકિતઓ/દર્શકો/ખેલૈયાઓ પ્રવેશે છે તેનો સંપૂર્ણ દસ્તાવેજી રેકોર્ડ ફરજિયાત રાખવો પડશે.
ઓછામાં ઓછા બે આપતકાલીન દરવાજા રાખવાના રહેશે જે પરસ્પર વિરુદ્ધ દીશામાં હોવા જોઈએ. ગેટની સામેના ભાગે ૦૫ મી. ઓપનીંગ હોય તે મુજબનું રાખવાનું રહેશે. સ્ટ્રક્ચરની અંદર તથા બહાર સરળતાથી વાંચી શકાય તે મુજબ અચુક ઓટો ગ્લોવ મટીરીયલમાં સાઈન લગાવવા “NO SMOKING ZONE”, “Exit”, “Emergency Exit”. સીટીંગ વ્યવસ્થામાં ૧૦ હરોળ અને ૧૦ બેઠક પછી પેસેજ આપવાનો રહેશે.જેની પહોળાઈ ઓછામાં ઓછી ૧.૫ મી. રાખવી પડશે.મંડપ, પંડાલમાં પડદા અને કાર્પેટને ફાયર રીટાઈન્ડન્ટ પેઈન્ટ કરાવવાના રહેશે.જમીન ઉપર બિછાવવામાં આવેલી કાર્પેટ પણ આગ અકસ્માતથી સુરિક્ષત રહે તે મુજબ રાખવાના રહેશે.
ઈલેક્ટ્રીક વાયરીંગ વીજળી અધિનિયમ મુજબ ગવર્નમેન્ટ એપ્રુવડ ઈલેક્ટ્રીક ઈજનેર પાસે ચકાસણી કરાવવાની રહેશે.અને વાયરીંગ પીવીસી આવરણ વાળા કંડક્ટર અથવા ટફ રબર વર્લ્ડનાઈઝેશન કરેલા હોવા જોઈએ. વાયરીંગના તમામ જોઈન્ટ પોસેલેઈન ઇન્સ્યુલેટેડ કનેક્ટર્સથી કરવાના રહેશે. આયોજકો ડિઝલ જનરેટર સ્ટેજ કે પંડાલમાં રાખી શકશે નહીં .
ઈલેક્ટ્રીકનું મુખ્ય સ્વીચ બોર્ડ એ.સી. અથવા જી.આઈ. માં જોઈશે. હંગામી મંડપથી દુરના અંતરે ઈલેક્ટ્રીક જંક્શન બોર્ડ પાઈલોટીંગ લાઈટ સાથે કરાવવાના રહેશે. કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રીક લાઈટીંગ, બલ્બ કે ટ્યુબલાઈટ કે તેના કોઈ પાર્ટ્સ કે મંડપના કોઈ ભાગ કે સુશોભન અથવા સળગી ઉઠે તેવી જવલંનશીલ સામગ્રીથી ઓછામાં ઓછા ૧૫ સે.મી.ની અંદર રાખવાના રહેશે.
મંડપમાં માતાજીની મુર્તિ પાસે રાખવામા આવતા દીવા નીચે રેતી અચુક રાખવાની રહેશે. મંડપમાં આગ અકસ્માતની સલામતી અર્થે માતાજીના ઉત્સવના તમામ સમયગાળા દરમ્યાન ફાયર એક્ષટીંગ્યુંશરના ઉપયોગ કરનાર જાણકાર પ્રશિક્ષિત વ્યકિતઓને અચુક રાઉન્ડ ધ ક્લોક રાખવાના રહેશે.
પંડાલમાં આગ સલામતી અર્થે પાણીનો પુરવઠો ફ્લોર એરિયાના ૦.૭૫ લી/સ્કવેર મીટર જોઈશે.તથા પાણીનો પુરવઠો ડ્રમ/બકેટમાં ઝડપથી ઉપયોગમાં લઈ શકાય તે મુજબ રાખવું પડશે .

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here