ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાને પહોંચી વળવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે ઝાડેશ્વર ખાતે એક ભરતી કેમ્પનું આયોજન કર્યું હતું.

આ કેમ્પમાં કરાર આધારિત ૧૬૧ જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી છે. આ તમામ નવા જ્ઞાન સહાયકો દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ જે તે શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરશે, જેનાથી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ દૂર થશે.
