રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કર્યા હતાં.

રાષ્ટ્રપતિશ્રીએ ભગવાન સોમનાથ દાદાને દેશનાં નાગરિકોના જનકલ્યાણ અને સુખાકારી માટેની ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી

રાષ્ટ્રપતિશ્રીએ ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક સમા પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ ગંગાજળ અર્પણ કર્યું હતું અને દિવ્ય મંત્રોચ્ચાર વચ્ચે સોમેશ્વર મહાપૂજા કરી ધન્યતા અનુભવી હતી.

સોમનાથ મંદિર પરિસર ખાતે પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી.કે.લહેરી, ટ્રસ્ટી શ્રી જે.ડી.પરમાર અને ટ્રસ્ટના સેક્રેટરી શ્રી યોગેન્દ્ર દેસાઈએ રાષ્ટ્રપતિશ્રીને આવકાર્યાં હતાં.

રાષ્ટ્રપતિશ્રી સાથે તેમના દીકરી શ્રી ઈતિશ્રી મુર્મૂ અને મહાનુભાવો જોડાયાં હતાં.
REPOTER : દિપક જોષી દ્વારા ગીર સોમનાથ

