GUJARAT : વેજલપુર પારસીવાડમાં મોટી દુર્ઘટના ટળી: જર્જરિત મકાન ઉતારતી વખતે ભાગ ધરાશાયી થતાં કામદાર દબાયો, ફાયર બ્રિગેડે બચાવ્યો

0
33
meetarticle

​ભરૂચ શહેરના વેજલપુર પારસીવાડ વિસ્તારમાં એક જર્જરિત મકાન ઉતારવાની કામગીરી દરમિયાન અચાનક મકાનનો કેટલોક હિસ્સો ધરાશાયી થવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં એક કામદાર કાટમાળ નીચે દબાઈ જતાં સ્થળ પર દોડધામ મચી ગઈ હતી.


​સ્થાનિકો દ્વારા જાણ થતાં જ ભરૂચ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ત્વરિત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને કાટમાળમાં ફસાયેલા કામદારને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.
​ફાયર વિભાગની સમયસરની અને સચોટ કામગીરીના કારણે દબાયેલા કામદારનો જીવ બચી ગયો હતો. આ ઘટના અંગે પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here