GUJARAT : ગુજરાત સરકારે ખેડૂતોની જણસ નું ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવવા ૧૫ દિવસનો સમયગાળો આપેલ પરંતુ સર્વર કામ કરતું ના ખેડૂતો ભારે મુશ્કેલીમાં?

0
139
meetarticle

ગુજરાત સરકારે ખેડૂતોની જણસ નું ટેકા ના ભાવે રજીસ્ટ્રેશન કરાવવા માટે એક સપ્ટેમ્બર થી ૧૫ સપ્ટેમ્બર સુધીનો સમયગાળો આપેલ છે પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો આજે એક સપ્ટેમ્બર ના રોજ મોઢવાડા ગામે ખેડૂતો ગ્રામ પંચાયતમાં વીસી પાસે રજીસ્ટ્રેશન કરાવવા માટે ગયેલ હતા અને લાંબી લાઈનો સવારના આઠ વાગ્યાથી લાગેલી હતી પરંતુ બપોરના ચાર વાગ્યા સુધીમાં એક પણ રજીસ્ટ્રેશન થયેલ નથી કારણ કે સર્વર ડાઉન હોવાથી ખેડૂતો ખાધા પીધા વગર લાઈનમાં ઊભા રહી મુશ્કેલી ભોગવેલી અને હિતેશભાઈ મોઢવાડિયાના જણાવ્યા મુજબ આજે એક સપ્ટેમ્બર સવારના આઠ વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધીમાં આખા ગુજરાતમાં કોઈ પણ ગામમાં રજીસ્ટ્રેશન થઈ શક્યું નથી એક બાજુ સરકાર ડિજિટલ ઇન્ડિયા ની વાતો કરે છે

પરંતુ ખેડૂતો તેમની જણસો વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે લાઈનમાં ઉભવાનું રાસાયણિક ખાતર માટે લાઈન લગાવવાની પાક તૈયાર થાય ત્યારે પણ લાઈન લગાવવાની તો આ સરકાર ખેડૂતોને લાઈનમાં ઊભા રાખવા માંગે છે કે પછી લાઈનમાં રાખવા માંગે છે જેવો સવાલ હિતેશભાઈ મોઢવાડિયા જણાવે છે જો સરકારે સુવિધા આપવી હોય તો ખેડૂતોના મોબાઈલ મારફત પણ રજીસ્ટ્રેશન ની સુવિધા આપવી જોઈએ જેથી ખેડૂતોનો સમય બચે અને લાઈનમાં ઊભા રહેવા મજબૂર ના બનવું પડે અને જે ટેકાના ભાવની ખરીદી સરકાર કરવાની હોય તો તેનું રજીસ્ટ્રેશન તારીખ એક સપ્ટેમ્બર થી ૧૫ સપ્ટેમ્બર સુધીમાં કરાવવું તેમ જાહેર કરેલ છે પરંતુ સર્વર ડાઉન હોય તો ક્યારે રજીસ્ટ્રેશન થશે તેવો સવાલ ખેડૂત અગ્રણી હિતેશભાઈ મોઢવાડિયા જણાવે છે

રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here