HEALTH : બ્લડ સુગર કન્ટ્રોલ કરવા અજમાવો આ ઘરેલુ નુસ્ખા, સાબિત થશે રામબાણ!

0
40
meetarticle

જ્યારે પણ બ્લડ સુગરને નિયંત્રિત કરવાની વાત આવે છે, ત્યારે લોકોના મનમાં સૌ પ્રથમ ગળ્યું ખાવાનું છોડવાનો વિચાર આવે છે. પરંતુ માત્ર મીઠાઈઓથી દૂર રહેવાથી સુગર કંટ્રોલ થતી નથી.

સુગરને નિયંત્રિત રાખવાનો અર્થ એ છે કે તમારા શરીરમાં આખો દિવસ એનર્જી લેવલ જળવાઈ રહે. જ્યારે બ્લડ સુગરનું સ્તર યોગ્ય હોય છે, ત્યારે તમે એક્ટીવ રહો છો, ધ્યાન કેન્દ્રિત રહે છે અને સ્વસ્થ અનુભવો છો. હવે પ્રશ્ન એ છે કે સુગર લેવલ જાળવી રાખવા માટે શું કરવું જોઈએ? તો આજે રસોડામાં વપરાતી એવી વસ્તુ વિષે જાણીશું કે જે માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતા, પરંતુ બ્લડ સુગરને પણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

તજ (Cinnamon): તજ તમારા શરીરને ઇન્સ્યુલિનનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં મદદ કરે છે, જેનાથી બ્લડ સુગરનું સ્તર ઘટે છે.

મેથીના દાણા (Fenugreek Seeds): ફાઇબરથી ભરપૂર મેથીના દાણા સુગર સ્પાઇક્સના સ્તરને ધીમું કરે છે. તે ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે.

તુલસી (Tulsi): તુલસી તમારા તણાવને ઓછો કરે છે અને સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

આદુ (Ginger): આદુ સુગરને નિયંત્રિત કરવા અને પાચનમાં સુધારો કરવા માટે મદદરૂપ છે.

જીમ્નેમા સિલ્વેસ્ટ્રે (Gymnema Sylvestre): જીમ્નેમાને ‘શુગર ડિસ્ટ્રોયર’ તરીકે ઓળખવામાં આવે છે. તે ગળ્યું ખાવાની ઇચ્છાને ઓછી કરે છે અને સુગરને સંતુલિત રાખે છે.

ધાણાના દાણા (Coriander Seeds): ધાણાના દાણા પાચન માટે મદદરૂપ છે અને સુગર લેવલને નિયંત્રિત કરવા માટે પણ ઉત્તમ છે.

એલચી (Cardamom): એલચી એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે. તે શરીરને ઇન્સ્યુલિન પ્રત્યે વધુ સારી રીતે પ્રતિક્રિયા આપવામાં મદદ કરે છે અને મેટાબોલિઝમમાં સુધારો કરે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here