નર્મદા જિલ્લામાં બે ડેમ આવેલા છે એક ગુજરાતની જીવાદોરી નર્મદા સરદાર સરોવર ડેમ અને બીજો ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી કરજણ ડેમ.
આ કરજણ ડેમનાના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ ડેમના 3 દરવાજા ખોલવાની ફરજ પડી છે. ડેમમાં પાણીની આવકહાલ 8546 ક્યુસેક થઈ રહી છે.
કરજણ ડેમની જળસપાટી 109.02 મીટર પર પહોંચી છે.જ્યારે ડેમનું રૂલ લેવલ 110.31 મીટર જાળવવા ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી કરજણ ડેમના 3 ગેટ ખોલી 8546 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવાની ફરજ પડી છે.હાલ કરજણ જળાશય માં 362.78 MCM (મિલિયન ઘન મીટર ) લાઇવ જથ્થો સંગ્રહિત છે.
ગ્રોસ સ્ટોરેજ 393.67મિલિયન ઘન મીટર ) છે
હાલ કરજણ ડેમ 73.07 ટકા જેટલો ભરાઈ ગયો છે.તેથી ડેમને
વોર્નિંગ સ્ટેજ પર મુકવામાં આવ્યો છે
ઉપરવાસમાંથી 8546ક્યુસેક પાણી સતત ચાલુ છે. આમ.જેમ જેમ પાણી ની આવક થશે અને ગેટ વધારે કરી પાણી છોડવામાં આવશે.
હાલ કરજણ ડેમના 2,5,અને 7 નંબર ના ઑ. 60 મીટર પહોળા કુલ 3 ગેટ ખોલવામાં આવ્યા છે. જેને કારણે કરજણ નદી બે કાંઠે વહી રહી છે કરજણ નદીમાં પાણીની આવક ચાલુ હોઈ કાંઠા વિસ્તારના 6 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે
REPOTER : દીપક જગતાપ, રાજપીપલા




