MAHISAGAR : સંતરામપુર તાલુકાના બે ગામોમાં તસ્કરોનો આતંક: ઘર અને મંદિર માંથી રોકડ રકમની ચોરી..

0
87
meetarticle

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં તસ્કરો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ વધતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. તાજેતરમાં સંતરામપુર તાલુકાના સરસણ આઉટ પોલીસ વિસ્તારના વાંકડી અને ગુવાલીયા ગામમાં ચોરીના બનાવો સામે આવ્યા છે.

વાંકડી ગામની ઘટના:
વાંકડી ગામે રહેતા રમણભાઈ સોમાભાઈ બારીયાના ઘરે તસ્કરો રાત્રીના આશરે 12 વાગ્યાના સમયે ઘૂસી આવ્યા હતા. દસથી બાર તસ્કરો લાકડીઓ, તલવારો અને શક્યતઃ બંદૂકોથી સજ્જિત હતા. ઘરના તમામ સભ્યો સૂતા હતાં ત્યારે તસ્કરો ઘરમાં ઘૂસી ઘરના સભ્યોને જાગવા ન દીધા અને ઘરનું સામાન ફેંકીને, પતરાની પેટીનું તાળું તોડી અંદર રહેલી રૂ. 50,000ની રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા.

ગુવાલીયા ગામની ઘટના:
ગુવાલીયા ગામે તલાવની પાળ પાસે આવેલ બળીયાદેવ મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડી તસ્કરો મંદિરમાં ઘૂસ્યા હતા. તેમણે દાનપેટીનું તાળું તોડી અંદર રહેલી રોકડ રકમની ચોરી કરી અને ફરાર થઈ ગયા.

ફરિયાદ અને તપાસ:
બળીયાદેવ મંદિર ખાતે થયેલી ચોરીના સંદર્ભમાં ગુવાલીયા, બેહડીયા તથા કાળીબેલ ગામના લોકોએ સંતરામપુર પોલીસ મથકે લેખિતમાં અરજી આપી હતી. તે અનુસાર પોલીસે તપાસ શરૂ કરી છે. વાંકડી ગામની ઘટનામાં રમણભાઈ બારીયાએ પોતે ફરિયાદ નોંધાવી છે અને પોલીસ દ્વારા આ બનાવોની ગુનાહિત દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

ગ્રામ્ય વિસ્તારમાં વધતી તસ્કરીની ઘટનાઓ સામે સ્થાનિક લોકોએ પોલીસથી સઘન પેટ્રોલિંગ અને કડક કાર્યવાહી કરવાની માંગ ઊઠાવી છે…

REPOTER : વીરભદ્રસિંહ સિસોદિયા લુણાવાડા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here