NATIONAL : અંતિમ યાત્રા પર અજિત દાદા, હિબકે ચઢ્યું બારામતી

0
17
meetarticle

અજિત પવારની અંતિમ યાત્રા તેમના કાટેવાડી નિવાસસ્થાનથી શરૂ થઈ ગઈ છે, અને તેમને સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી રહી છેઅજિત પવારની અંતિમ યાત્રા તેમના કાટેવાડી નિવાસસ્થાનથી શરૂ થઈ ગઈ છે, અને તેમને સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. શોભાયાત્રા લગભગ 6 કિલોમીટરનું અંતર કાપ્યા પછી ટૂંક સમયમાં સ્મશાનભૂમિ પહોંચશે. શોભાયાત્રા સાથે રહેલા સમર્થકોએ “અજીત દાદા અમર રહે!” ના નારા લગાવ્યા. પોતાના નેતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે સમર્થકોની મોટી ભીડ એકઠી થઈ હતી. આંસુભરી આંખો સાથે લોકોએ અજિત પવારને અંતિમ વિદાય આપી રહ્યા છે.

અંતિમ યાત્રા વિદ્યા પ્રતિષ્ઠાન કેમ્પસથી શરૂ થશે, શહેરમાંથી પસાર થશે અને અંતિમ સંસ્કાર માટે વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં સમાપ્ત થશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે બારામતીમાં થયેલા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું, જેમાં તમામના મોત થયા હતા.નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે થયેલા વિમાન દુર્ઘટનાના સંદર્ભમાં, પુણે ગ્રામીણ પોલીસે બારામતી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મૃત્યુ અહેવાલ (ADR) નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here