NATIONAL : દેશમાં ઇન્ડસ્ટ્રીયલ ડીઝલનો ભાવ 28ના વધારા સાથે રૂ.137ને પાર

0
9
meetarticle

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધની અસર ભારત પર પણ પડી રહી છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં તિવ્ર ઊછાળો થયો છે ત્યારે ભારતમાં સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ઔદ્યોગિક ડીઝલના ભાવમાં રૂ. ૨૮ સુધીનો વધારો કર્યો છે. બીજીબાજુ ઓઈલ કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના રિટેલ વેચાણમાં જંગી નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ક્રૂડમાં ભાવ વધારાથી અન્ય દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બમણા થઈ ગયા છે ત્યારે ભારતમાં ઓઈલ કંપનીઓ પેટ્રોલ પર રૂ. ૨૪ અને ડીઝલ પર રૂ. ૧૦૪નું નુકસાન સહન કરી રહી છે. 

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરથી ઉપર જતા રહ્યા છે. પરિણામે સરકારી ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમે ૧લી એપ્રિલથી ઔદ્યોગિક ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ૨૮નો વધારો કર્યો છે. 

ઓઈલ કંપનીઓ મુજબ નવા રેટ મુજબ ઔદ્યોગિક ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૧૦૯.૫૯થી વધીને રૂ. ૧૩૭.૮૧ થઈ ગયો છે. ફર્નેસ ઓઈલના ભાવમાં પણ પ્રતિ લીટ રૂ. ૨૩.૭૭નો વધારો કરાયો છે. આ પહેલા ૨૦ માર્ચે પણ ઔદ્યોગિક ડીઝલના ભાવમાં રૂ. ૨૨નો વધારો કરાયો હતો, જેથી દિલ્હીમાં ઔદ્યોગિક ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૭.૬૭ થયો હતો

ઓઈલ કંપનીઓએ સ્પષ્ટ કર્યું કે, ઔદ્યોગિક અને જથ્થાબંધ ગ્રાહકોને ઈંધણનો સપ્લાય સુચારુ રૂપે ચાલુ છે અને ઉપલબ્ધતામા ંકોઈપણ પ્રકારનો અવરોધ નથી. 

જોકે, ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવમાં કોઈ વધારો નહીં કરીને સામાન્ય ગ્રાહકોને રાહત આપી છે. રિટેલ ગ્રાહકો હજુ પણ જૂના દરથી જ પેટ્રોલ અને ડીઝલ ખરીદી રહ્યા છે. દિલ્હીમાં સાદા પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૪.૭૭ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૭.૬૭ છે.

જોકે, રિટેલ ક્ષેત્રમાં ઓઈલ કંપનીઓ પેટ્રોલમાં પ્રતિ લીટર રૂ. ૨૪ અને ડીઝલમાં પ્રતિ લીટર રૂ. ૧૦૪ના નુકસાનનો સામનો કરી રહી છે. પેટ્રોલિયમ મંત્રાલયનાં સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે, ઓઈલ કંપનીઓને પેટ્રોલ અને ડીઝલમાં થઈ રહેલા નુકસાનને અન્ડર-રિકવરી કહેવામાં આવે છે, જેને કંપનીઓ તેમના નફામાંથી સરભર કરી રહી છે. ઓઈલ કંપનીઓનું નુકસાન ઘટાડવા અને રિટેલ ગ્રાહકોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ પર સ્પેશિયલ એક્સાઈઝ ડયુટીમાં રૂ. ૧૦નો ઘટાડો કર્યો હતો.

દરમિયાન દેશમાં ક્રૂડ અને એલપીજીમાં સપ્લાયની ચિંતાઓ વચ્ચે સરકારે સંગ્રાહખોરો અને કાળાબજાર કરનારાને આકરી ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કાળાબજાર રોકવા દૈનિક દરોડા પાડવા જણાવ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને એલપીજી અને ક્રૂડ ઓઈલના સપ્લાયના સંદર્ભમાં દૈનિક પ્રેસ બ્રિફિંગ કરવા, કંટ્રોલ રૂમ અને હેલ્પલાઈન સ્થાપવા, ફેક ન્યૂઝ સામે આકરાં પગલાં લેવા અને ઈંધણની ઉપલબ્ધતા અંગે જનતાને વારંવાર ખાતરી આપવા સૂચના આપી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here