PANCHMAHAL : શહેરા ખાતે આવેલા મહાલક્ષ્મી મંદિર ખાતે આઠમ નિમિત્તે હોમહવન કરાયા

0
64
meetarticle

પંચમહાલ જીલ્લાના શહેરાનગર તેમજ ગ્રામીણ પંથકમા નવરાત્રી પર્વની ધામધુમથી ઉજવણી થઈ રહીછે.

નવરાત્રીનો પર્વ હવે તેના અંતિમ પડાવમા છે.ત્યારે આઠમ નિમિત્તે વિવિધ નવરાત્રી પંડાલોમાં હોમહવન કાર્યક્રમો યોજાયા હતા. શહેરા નગરના નાડા રોડ પર આવેલા મહાલક્ષ્મી મંદિર ખાતે હોમહવન રાખવામા આવ્યો હતો. જેમા શહેરાનગરવાસીઓ જોડાયા હતા. અને નાળિયેર ની આહુતિ આપી હતી,આરતી પુજન પણ કરવામા આવ્યા હતા.

અત્રે નોધનીય છે કે મહાલક્ષ્મી મંદિર ખાતે પણ નવરાત્રી પર્વનુ આયોજન કરવામા આવ્યુ છે. જેમા મોટી સંખ્યામા શહેરાનગરવાસીઓ ઉપસ્થિત રહીને માતાજીના ગરબે ઘુમે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here