GUJARAT : અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદની શાંતિપૂર્ણ ઉજવણી માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

0
70
meetarticle

અંકલેશ્વર શહેરમાં ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદના તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા માટે એ ડિવિઝન પોલીસ મથકે એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.


પોલીસ ઇન્સ્પેક્ટર પી.જી. ચાવડાના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ બેઠકમાં ગણેશ મહોત્સવની ઉજવણી, પ્રતિમાઓનું વિસર્જન, અને ઈદે મિલાદના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પોલીસે બંને સમુદાયના આગેવાનોને તહેવારો દરમિયાન શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવા માટે અપીલ કરી હતી.
આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા અને મુસ્લિમ સમાજના યુવા આગેવાન વસીમ ફડવાલા સહિત અનેક અગ્રણી નાગરિકો અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. તમામ ઉપસ્થિત પ્રતિનિધિઓએ તહેવારોની ઉજવણી એકતા અને ભાઈચારા સાથે કરવાની સંમતિ દર્શાવી હતી. આ પહેલથી સમાજમાં શાંતિ અને સદ્ભાવનાનો સંદેશો ફેલાયો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here