લગ્નના બહાને પાંચ આરોપીઓએ લાખો રૂપિયા પડાવી લીધા અને ત્યારબાદ પોલીસે ગુનાનો પર્દાફાશ કરી અને આરોપીઓને હવે જેલ હવાલે કર્યા છે.
વડગામ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી કે જેમાં એકલતા ભોગવી રહેલા યુવકને લગ્ન કરાવવાની લાલચ આપી પાંચેય આરોપીઓએ કાવતરૂ રચ્યું અને ત્યારબાદ લુટેરી દુલ્હનને તૈયાર કરી અને લાખો રૂપિયાની છેતરપિંડી આચરી લીધી હતી. સમગ્ર ઘટના જોઈએ તો આરોપીઓએ કીંજલ ઉર્ફે આયુષી નામની યુવતી સાથે ફરીયાદી યુવકના લગ્ન કરાવ્યા હતા અને લગ્નના થોડા દિવસો બાદ આ લૂંટેરિ દુલ્હનને તેમના ઘરે પરત બોલાવી લેવામાં આવી હતી

પોલીસની આ કાર્યવાહીથી ગુનાનો ભોગ બનનાર વ્યક્તિને ન્યાય મળ્યો છે અને લગ્નના બહાને છેતરપીંડી કરનારાં આરોપીઓ જેલ હવાલે થયા છે.
પ્રતિનિધિ : દિપક પુરબીયા



